મહેસાણા પંથકમાં એક મહિલાને પોતાના સુખી સંસારમાં એકાએક પતિનું મોત થતા કુદરતી આફ્ત આવી પડી હતી. મહિલાને 3 સંતાનોની જવાબદારી વચ્ચે જીવનસાથીનો સંગાથ છૂટી જતા માથે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. દુઃખની ઘડીએ મહિલાના દિયરે તેના બાળકો અને તેની જવાબદારી ઉઠાવવા જણાવ્યું હતું.
પતિના મોતના 4 જેટલા વર્ષ બાદ મહિલા અને તેના દિયર વચ્ચે કંકાસ શરૂ થયો હતો. ભાઈના મોત બાદ ભાભી અને 3 ભત્રીજાઓની જવાબદારી નિભાવવી મહિલાના દિયર માટે ખૂબ અઘરું બન્યું હતું. ત્યાં દિયરે ભાભીને કમાવવા જવા માટે વારંવાર કહી દબાણ કરતા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલાને પોતાના 3 બાળકોના લાલન પાલન સહિત ઉછેરની ચિંતા હોઈ તે ક્યાંય કમાવવા જઈ શકે તે માટે અસમર્થ હતી. પતિના મોત બાદ તેમની જવાબદારી ઉઠાવનાર દિયરે જ પરેશાન કરતાં મહિલાએ 181 અભિયમની ટીમની મદદ માંગી હતી.










