• સમાજની વાતમાં રાજકારણ ન આવવું જોઈએ: હર્ષ સંઘવી
  • બેફામ નિવેદન કર્યું રાહુલ ગાંધીએ
  • કોંગ્રેસ નિઝામ - નવાબ મુદ્દે મૌન છે

સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજા રજવાડાઓ વિશે કંઈ કહેવાનો શહેજાદાને હક નથી. બેફામ નિવેદન રાહુલ ગાંધીએ કર્યું છે. કોંગ્રેસ નિઝામ - નવાબ મુદ્દે મૌન છે. કોંગ્રેસે દેશના લોકોને લૂંટ્યા છે. પરશોત્તમ રૂપાલાજીએ તેમના નિવેદન બદલ માફી માગી છે.

સમાજની વાતમાં રાજકારણ ન આવવું જોઈએ: હર્ષ સંઘવી

[[$googlead]]

એક હજાર વખત માફી માગવી પડે તો પણ અમે તૈયાર છીએ. સમાજની વાતમાં રાજકારણ ન આવવું જોઈએ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે ચર્ચા કરી છે. ભાજપના હૈયે આદિવાસીનું હિત છે. કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો વિરોધ કર્યો હતો. દ્રૌપદી મુર્મૂ આદિવાસી હતા એટલે વિરોધ કરતા હતા.

[[$alsoread]]

આજે આદિવાસી દીકરીએ રમત ગમત ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડ્યો

પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લક્ષી આદિવાસી લોકોના હિતની જે વાત કરી હતી પરંતુ તેઓ ભૂલી ગયા કે પ્રધાનમંત્રીના નેતુત્વમાં આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. તેમનો વિરોધ પણ પાર્ટી દ્વારા જ કરવામાં આવ્યો હતો. આદિવાસી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા હતા તે વેળાએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસની સરકારના સાશનમાં આદિવાસી વિસ્તારમાં રસ્તા અને પાણી નહોતું. આજે મોદીના સાશનમાં ઘરે ઘરે પાણી પહોચ્યું છે. આજે આદિવાસી દીકરીએ રમત ગમત ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડ્યો છે.

રાહુલ ગાંધીના નિવેદનના કારણે દેશભરના ક્ષત્રિય સમાજમાં દુઃખ

મોરારજી દેસાઈની સરકારને તોડવાનું કાર્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતુ. રાહુલ ગાંધીના નિવેદનના કારણે દેશભરના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. આદિવાસી સમાજના વિકાસને દૂર રાખવાનો કારસો કોંગ્રેસે કર્યો છે. જે રાજાઓએ પોતાના રજવાડાઓને એક કરવા બલિદાન આપ્યું, જ્યાં કોંગ્રેસે બદનામ કરવાનું બાકી રાખ્યું નથી. દેશને લૂંટવાનું કાર્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીના નિવેદન બદલ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે. રૂપાલાએ આપેલા નીવેદન એક ભૂલ છે. આ નિવેદન બદલ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપે તેવી માંગ છે. સીઆર પાટીલે પણ આ મામલે માફી માંગી છે.

સમાજ વચ્ચે જઈને પણ માફી માંગવી જોઈએ

સમાજ વચ્ચે જઈને પણ માફી માંગવી જોઈએ. કોઈ સમાજના હૃદયમાં દુઃખની લાગણી ન હોય તે માટે માફી માંગવી જોઈએ. પરંતુ રાહુલ ગાંધીના નિવેદન સામે પણ નજર નાખવી જઈએ. ક્ષત્રિય સમાજ અને ભાજપ સિક્કાની એકબાજુ છે. અમારી અનેક બેઠક થઈ છે અને પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો છે. સમાજ અને ભાજપ વચ્ચે કોઈ વહેમ ના રહે તેનું ધ્યાન રાખવુ જઈએ. મારે રાજકીય સ્ટેટમેન્ટ આ બાબતે આપવું નથી. સમાજ બાબતે કોઈ રાજકારણ કરવું નથી. આજે પ્રત્યેક ગામોનો વિકાસ થયો છે. શક્તિસિંહ ગોહિલને હું વિનંતી કરું છું કે આપણે સૌ સમાજને એક કરીને આગળ વધવું જોઈએ. ચૂંટણી માટે અનેક મુદ્દાઓ છે. સમાજની રાજનીતિ ના હોવી જોઈએ. કોઈના દિલમાં જ્યાં પણ દુઃખ હશે તે દુઃખ દૂર કરવા હજાર વખત માફી માંગવી પડશે તો માંગીશુ.

અબકી બાર મોદી સરકાર અબકી બાર 400 કે પાર

આપણા રાજ્યને આગળ વધાવવા પીએમ મોદીએ પ્રયાસ કર્યા છે. આ ચૂંટણીમાં દેશભરના નાગરિકોએ મન બનાવી લીધું છે. સૌ સમાજના લોકોએ મન બનાવી લીધું છે. દેશના લોકો 3.0 ની સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. અબકી બાર મોદી સરકાર અબકી બાર 400 કે પાર છે. 

  • Follow us on: