- વિદેશીઓ પર હુમલામાં સુરતના વિદ્યાર્થીઓ ફસાયા
- સ્વદેશ પરત લાવવા વ્યવસ્થાઓની વિગતો મેળવી
- વિદ્યાર્થીઓને પરત લાવવા એરલાઈન્સ પણ કાર્યરત
કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાત વિદ્યાર્થીઓ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર ઘટનાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારને વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓની સલામતિ માટે યોગ્ય સંકલન કરવા સૂચનાો આપવામાં આવી છે.
વિદેશ મંત્રાલય અને કિર્ગિસ્તાનના દૂતાવાસના સંકલનમાં કહીને વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા વ્યવસ્થાઓની વિગતો મેળવી છે. ગુજરાત સહિત દેશના 17 હજાર વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરી રહ્યા છે. ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા એરલાઈન્સ પણ કાર્યરત કરવામાં આવી રહી છે. કિર્ગિસ્તાનમાં વિદ્યાર્થીઓ માટે 2 હેલ્પલાઈન ભારતીય દૂતાવાસ દ્વારા કાર્યરત થઈ છે.
ધારાસભ્ય કુમાર કાનાણાએ PMOમાં લખ્યો પત્ર
કિર્ગિસ્તાનની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદેશી વિદ્યાર્થીઓ ફસાયા છે. આ સાથે ભારતના પણ 17,000થી વધુ વિદ્યાર્થીઓ આ કિર્ગિસ્તાનમાં ફસાયા છે. જેમાં સુરતના 100થી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે. કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઇ ધારાસભ્ય કુમાર કાનાણાએ PMOમાં પત્ર લખીને રજૂઆત કરી છે. વાલીઓને પણ યોગ્ય માહિતી મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે.

સુરતના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા
કિર્ગિસ્તાનની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદેશી વિદ્યાર્થીઓ ફસાયા છે. આ સાથે ભારતના પણ 17,000થી વધુ વિદ્યાર્થીઓ આ કિર્ગિસ્તાનમાં ફસાયા છે. જેમાં સુરતના 100થી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે. તેઓ હોસ્ટેલ કે ફ્લેટમાંથી બહાર આવી પણ શકતા નથી. કિર્ગિસ્તાનના સ્થાનિક યુવાન છોકરાઓ તેમની હોસ્ટેલ અને ફ્લેટની બહાર ઊભા છે અને તેમની સાથેની સતામણીનો ડર વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે. સ્થાનિકના ટોળાં ભારત, બાંગ્લાદેશના લોકોને ટાર્ગેટ કરે છે. વિદ્યાર્થિનીએ બચવા માટે સો. મીડિયા પર મદદ માગી છે.
સુરતની વિદ્યાર્થીનીએ માંગી મદદ
સુરતની વિદ્યાર્થીનીએ મદદ માંગી છે અને કહ્યું છે કે મારે જલ્દી ભારત આવવું છે. અહીં ભયનો માહોલ છે. સ્થાનિક યુવાનો દ્વારા અમારા ઘરનો દરવાજો પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અમે દરવાજા પાછળ ખૂરશીઓ રાખી દેતા 2 કલાક બહાર દરવાજો તોડવાનો પ્રયાસ કરતા આખરે દરવાજો ન તૂટ્યો તો તે લોકો ચાલ્યા ગયા હતા. પોલીસ પણ અમારી મદદ કરી રહી નથી.
શું આવી રહી છે મુશ્કેલીઓ
અમે ઘરની બહાર પણ નીકળી શકતા નથી. જમવાનું પણ અમે બહાર લેવા જઈ શકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે અમને આમારી યુનિવર્સિટીના શિક્ષકો જમવાનું આપી જાય છે. તેઓ નીચે આવે ત્યારે અમે તેમને જોઈએ ત્યારે અમે દરવાજો ખોલીએ છીએ. હાલ તમામ લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીયોમાં ભયનો માહોલ છે. તેઓ છેલ્લા 3 દિવસથી એરપોર્ટની બહાર બેઠા છે.