• બંને છાત્રો શાળાએથી છૂટયા બાદ ઘરે પહોંચ્યા ન હતા

  • છોટાઉદેપુર ફાયર વિભાગે બંનેના મૃતદેહો શોધી પરિવારને સોંપ્યા
  • છોટાઉદેપુર ફાયર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના દુમાલી ગામ પાસે આવેલી એની નદીમાં બે બાળકો ડૂબી જતાં ફાયર વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરતા નદીમાંથી બંનેની લાશ મળી આવતાં માતમ છવાયો હતો.

છોટાઉદેપુર તાલુકાના દુમાલી ગામ પાસે આવેલ રેલવે બ્રિજ નીચે એની નદીમાં નહાવા માટે 14 વર્ષના સંદીપ દીપલાભાઈ રાઠવા અને આકાશ સંજય રાઠવા ડૂબી જતાં મોતને ભેટયા હતા. શાળાના દફ્તર નદીની બહાર દેખાતા છોટાઉદેપુર ફાયર વિભાગની ટિમ દ્વારા તપાસ હાથ ધરતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. છોટાઉદેપુરના તેજગઢની શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 ના બંને વિદ્યાર્થીઓ ગતરોજ શાળાએથી છૂટી ઘરે નહી પહોંચતાં પરિવાર તથા ગ્રામજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે રોજકુવા અને અછેટા ગામના બે કિશોર તેજગઢની એ.એન. પંચોલી શાળામાં અભ્યાસ પૂર્ણ કરી નીકળ્યા હતા. પરંતુ ઘરે પહોંચ્યા ન હતા. જેથી શોધખોળ શરૂ કરી હતી. ગ્રામજનોને મેસેજ મળ્યો હતો કે, કિશોરોના દફ્તર અને કપડાં નદી કિનારે પડયા છે. જેથી પોલીસને જાણ કરી હતી. અને શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે છોટાઉદેપુર ફાયર વિભાગને જાણ કરતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બંને અને 45 મિનિટ દરમિયાન કિશોરોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બંનેના મૃતદેહ પોલીસને સોંપી પોસ્ટ મોર્ટમ ખાતે લાવવામાં આવ્યા હતા. ઘટનાને પગલે શોકની લાગણી ફેલાઇ હતી.


  • Follow us on: