રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જેમાં ભર ઉનાળે દર્દીઓ ઘરેથી પંખા લઈને આવવા માટે મજબૂર બન્યા છે, હોસ્પિટલમાં કુલર કે અન્ય વ્યવસ્થા ના હોવાથી દર્દીઓને તકલીફ પડી રહી હોવાની વાત સામે આવી છે, પદ્મકુંવરબા હોસ્પટિલમાં 12 બેડ સામે માત્ર 2 પંખા છે તો હોસ્પિટલમાં દર્દીઓ અને સગાઓના હાલ બેહાલ થઈ ગયા છે અને મહત્વનું છે કે તંત્રને જાણ છે છત્તા તેઓ કેમ આ વાતથી અજાણ બને છે તે સમજાતું નથી.


[[$googlead]]

હોસ્પિટલમાં ઘરેથી દર્દીઓ પંખા લાવવા મજબૂર

રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જેમાં ભર ઉનાળે દર્દીઓ ઘરેથી પંખા લાવવા માટે મજબૂર બન્યા છે, છત પર પંખા નથી અને દર્દીઓ પોતાના ઘરેથી ટેબલ ફેન લાવવા માટે મજબૂર બન્યા છે તો મહત્વનું છે કે ગરમીમાં દર્દીઓને તકલીફ પડી રહી છે તેની વાત હોસ્પિટલના તંત્રને ખબર છે તેમ છત્તા તંત્ર પંખા મૂકવાની વ્યવસ્થા હજી કરતું નથી, તો દર્દીઓની પાસે જે સગા છે તે લોકો દુપટ્ટા વડે પંખો નાખી રહ્યાં છે.

[[$alsoread]]

પદ્મકુંવરબા હોસ્પટિલમાં ૧૨ બેડ માટે માત્ર ૨ જ પંખા

પદ્મકુંવરબા હોસ્પટિલમાં ૧૨ બેડ માટે માત્ર ૨ જ પંખા છે તો કંઈ રીતે દર્દીઓને કુલરની અને પંખાની હવા મળશે, તમે જ જરા વિચારી લો કે જો આવી હાલત થાય તો ગરમીમાં દર્દીઓને કેવી તકલીફ પડતી હશે, હોસ્પિટલનું તંત્ર અને સરકાર જરા જુઓ આ ગુજરાતમાં હોસ્પિટલમાં કેવી હાલત છે, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા અંગેની તપાસ ફરાસ રૂપ નીવડી રહી છે.

આઠ લાખના કુલરનું 13.50 લાખ ભાડૂ ચૂકવાશે

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્ય સરકારે દરેક હોસ્પિટલમાં દર્દીઓ માટે કૂલર મુકવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ માટે 50 કુલર ભાડે લાવવામાં આવ્યા હતાં. જેમાં એક કુલરનું દૈનિક ભાડુ 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. સ્થાનિક નગર સેવક બાલુ સુર્વેએ હોસ્પિટલ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, એસએસજી હોસ્પિટલ દ્વાર આઠ લાખના કુલરનું 13.50 લાખ ભાડૂ ચૂકવશે. ત્રણ મહિને કોન્ટ્રાક્ટરને 13.50 લાખ ચૂકવાશે.

  • Follow us on: