દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરુ છે.રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો હવે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.


10 કરોડ 11 લાખની સહાય

જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીના આંકડાઓ મુજબ,નિદર્શન અને ફિલ્ડ વીઝીટ થકી જિલ્લામાં પ્રાકુતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે. જેના ભાગરુપે 17118 ખેડૂતો 18978 એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અતર્ગત 9364 લાભાર્થીઓને રુ.10 કરોડ 11 લાખની સહાય નિભાવ ખર્ચ સ્વરુપે આપવામાં આવી છે.

આર્થિક વળતર આપતી પ્રાકૃતિક ખેતી

પ્રાકૃતિક ખેતી અભિયાનના ભાગ રુપે ખેતીવાડી શાખા-આત્મા પ્રોજેક્ટ દ્વારા અત્યાર સુધીમાં 592 ગામ ખાતે વિસ્તરણ તંત્ર મારફત ખેડૂત ગ્રુપ મીટીંગ રાત્રિ સભા દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક અભિયાન સાથે જોડાઈ તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી પાકની વૃદ્ધિ માટે જરુરી ઈનપુટ બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે ખેડૂત પોતે તે બનાવી શકે છે.આમ ઓછા ખર્ચે યોગ્ય ઉત્પાદન અને આર્થિક વળતર આપતી પ્રાકૃતિક ખેતી આગામી પેઢીને નિરામય સ્વાસ્થ આપવા માટે સીમાચિન્હરુપ બની રહેશે.  

  • Follow us on: