દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાના કારણે આગ-અકસ્માત અને દાઝી જવાથી ઈજા પામવાના 41 કેસો નોંધાયા હતા અને એએમસી સંચાલિત શારદાબેન, વીએસ, એલજી અને નગરી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. શારદાબેન હોસ્પિટલમાં બર્ન ઓપીડીમાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે એલ.જી. હોસ્પિટલના બર્ન વિભાગમાં 19 દર્દીઓ સારવાર માટે અને તે પૈકી 3 દર્દીને દાખલ કરાયા હતા. આ ઉપરાંત, હોસ્પિટલમાં રિદ્ધિ સ્ટીલ ફાયર અકસ્માતના બે દર્દીઓ નોંધાયા હતા,


જેમાંથી એક દર્દીને OPDમાં હતો અને એક મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. વી.એસ. હોસ્પિટલની ઓપીડીમાં દાઝી ઝવાને કારણે ઈજા પામેલા 5 દર્દીને સારવાર આપવામાં આવી હતી. નગરી હોસપિટલની OPDમાં 15 દર્દીઓમા સારવાર લીધી હતી અને 2 દર્દી સારવાર હેઠળ છે. એસવીપી હોસ્પિટલમાં દાઝી જવાનો કોઈ દર્દી નોંધાયો ન હતો.

દિવાળીના તહેવારમાં પાંચ દિવસમાં ફાયરને આગના 239 કોલ મળ્યા

દિવાળીના તહેવારમાં ફ્ટાકડાથી આગની ઘટના બનતી હોય છે. આ વર્ષે દિવાળીના તહેવારમાં 20 ઓક્ટોમ્બરથી 25 ઓક્ટોમ્બર સુધી 239 આગના કોલ ફાયરબ્રિગ્રેડને મળ્યા છે. જેમાંથી 7 મેજર કોલ હતા. તેમાં ગોડાઉનમાં આગ લાગ્યાના કોલ હતા. બાકીના કોલ ખુલ્લા મેદાન અને પ્લોટમાં કચરામાં લાગેલ આગના હતા. ત્યારે ગત વર્ષની સરખામણીમાં ઓછા કોલ નોધાયા છે. ગત વર્ષે 257 આગના કોલ હતા.


  • Follow us on: