છેલ્લા ઘણાં સમયથી દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણીના પ્રેશર અંગે સ્થાનિકોનો વિરોધ વધી રહ્યો છે.
જેમાં પણ મણિનગર વોર્ડમાં આવેલા ભૈરવનાથ, મિલ્લતનગરથી લઈ વસંતનગર વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી ન મળી રહ્યું હોવાની ફરિયાદ ઘણા સમયથી મ્યુનિ. કોર્પોરેશનને કરવામાં આવી રહી છે. આ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મણિનગરમાં આવેલા પ્રગતિમિરા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનની પાસે એક નવું વોટર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેના રિનોવેશનનું કામ કરી તેમાં નવા મોટર પંમ્પ લગાવવાની કામગીરી કરવામાં આવશે.










