સ્માર્ટ સિટી અમદાવાદની તંત્ર દ્વારા માત્ર વાતો કરાય છે. પણ મ્યુનિ. દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા પણ પુરી પાડવામાં આવી રહી ન હોવાની ફરિયાદો વધી છે.
જેમાં પૂર્વ વિસ્તારમાં તો ઠેર ઠેર સમસ્યા સર્જાતી રહે છે. પણ તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લવાતું ન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. શહેરના પૂર્વ અને પશ્વિમ સ્તારને જોડતા રિવરફ્રન્ટ પર અંધેર વહિવટના કારણે સ્ટ્રીટલાઈટના ધાંધિયા જોવા મળી રહ્યા છે. જેમાં પૂર્વ રિવરફ્રન્ટના ગાંધી બ્રીજથી દધીચી બ્રીજ સુધી સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી. જેમાં સ્થાનિકોને અકસ્માતના ભય વચ્ચે પસાર થવા મજબૂર બન્યા હતા.










