શહેરનાં પૂર્વ ભાગમાં પાણીની લાઈનમાં ભંગાણનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ને નાગરિકો દ્વારા અનેક ફરીયાદો કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા સમારકામ માં ફ્ક્ત પાટાપિંડી જ કરવામાં આવે છે.
જે સમય જતાં સ્થિતિ ફરી એવી ને એવી જ થઈ ને ઉભી રહી જાય છે. ખોખરા વિસ્તારમાં સર્કલથી હાટકેશ્વર તરફ્ જતાં મુખ્ય રસ્તા પર એક મહિના ની અંદર જ પાણી ની લાઈન માં બીજી વખત ભંગાણ સર્જાતાં રોજનું હજારો લિટર પાણી વેડફઈ જાય છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં માં પાણી નું પ્રેશર ઘટી જતાં લોકો ને હાલાકી વેઠવી પડે છે. આ માટે રજુઆત કરવા છતાં પણ અધિકારીઓ દ્વારા કામગીરી ન કરવામાં આવી રહી હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ રહેલી છે.










