હાલમાં વરસાદ વગર પણ રોડ રસ્તા પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહેલો છે. જમાલપુર દરવાજાથી કોર્પોરેશન દાણીલિમડા તરફ જવાના મેઈન રોડ પર ભૂવો પડયો હતો.


જેની કામગીરી હાથ ધરવામાં આવતાં સમગ્ર રોડ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે ત્યાંથી અવરજવર થતો વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો છે. આ કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. વરસાદ વગર પણ રોડ રસ્તા પર ભૂવા પડવાના કારણે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.


  • Follow us on: