અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા 206માં અંગદાનમાં પરપ્રાંતિય મુસ્લિમ યુવાનને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા.
જ્યા સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરોએ યુવાનને 19-8ના રોજ બ્રેઇન ડેડ હોવાનુ નિદાન કરેલ. ડોક્ટરોએ અંગદાન વિશે સમજાવતા દર્દીના પરિવારજનોને તેના અંગોનુ દાન આપવા સંમતિ આપી હતી. આ અંગદાનથી મળેલ બે કિડની, લીવર તથા સ્વાદુપિંડ ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલ ના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ.










