લોકપ્રિય સિંગર કિંજલ રબારી અને તેના પતિ અશોક ચૌધરી સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થાય તે પહેલાં જ તેમણે ગુજરાત હાઇકોર્ટના શરણે પહોંચી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે હાજરી આપી હતી. કોર્ટ સમક્ષ કિંજલ રબારીએ ખુલાસો કર્યો હતો કે તેમનું કોઈ અપહરણ થયું નથી. આ મામલે અશોક ચૌધરી સામે દર્જ થયેલી અપહરણની પોલીસ ફરિયાદ શંકાસ્પદ હોવાનું સામે આવતાં ગુજરાત હાઇકોર્ટે તેમને મોટી રાહત આપી છે અને અશોક ચૌધરીની ધરપકડ પર રોક (સ્ટે) લગાવી દીધી છે, જેથી હાલ પોલીસ તેમની ધરપકડ કરી શકશે નહીં.

આ પણ વાંચો : Ahmedabadના દરિયાપુરના જુગારધામ પર હવે PASAનો પંજો, મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો સહિત 6 સામે કાર્યવાહી