CBI કોર્ટ અમદાવાદ દ્વારા આજે લાંચના કેસમાં આરોપી આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 20000ના દંડ સાથે ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. CBIએ 22 ફેૂબ્રુઆરી 2013ના રોજ તાત્કાલિક કેસ નોંધ્યો હતો. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપી આવકવેરા અધિકારીએ ફરિયાદી પાસેથી આવકવેરા કાયદાની કલમ 11 અને 80G હેઠળ પ્રમાણપત્ર જારી કરવા માટે શ્રીલેખા વિવિધલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટને મુક્તિ આપવા બદલ 10000 રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી
સીબીઆઈએ છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદી પાસેથી 10000ની ગેરકાયદેસર લાંચ સ્વીકારતા આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.આરોપીની 22. ફેબ્રુઆરી 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે સીબીઆઈ દ્વારા 31.10.2013ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.કોર્ટે ટ્રાયલ પછી આજે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને 20 હજારના દંડ સાથે ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
