અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગમગીન ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમી પંખીડાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને એકસાથે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ સામૂહિક આપઘાતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા છે.

મૃતકોની ઓળખ થઈ, મૂળ સંતરામપુરના વતની

આપઘાત કરનાર યુવક અને યુવતી બંને મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકની ઓળખ પટેલીયા જયદીપકુમાર તરીકે થઈ છે. જ્યારે યુવતીની ઓળખ ડામોર નીતાબેન તરીકે કરવામાં આવી છે. આ બંને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આ આત્યંતિક પગલું ભર્યું હતું.

આપઘાતનું કારણ અકબંધ, પોલીસે તપાસ હાથ ધરી

આ પ્રેમી પંખીડાએ કયા સંજોગોમાં અને કયા ગંભીર કારણોસર આટલું મોટું પગલું ભરીને પોતાની જિંદગીનો અંત આણ્યો, તે બાબત હજી સુધી રહસ્યના પડદા પાછળ છે. ઘટનાની જાણ થતાં જ ચાંદખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને, તેમના પરિવારજનોનો સંપર્ક સાધી આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો