આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવજીના શિવલિંગની ફ્રતે આવેલ થાળાને શુદ્ધ ચાંદીનું બનાવી અર્પણ કરવામાં આવ્યું હતું. તે થાળાની ચોરી થઈ જતા શિવ ભક્તોમાં ભારે રોષની લાગણી જન્મી ઉઠી છે.
બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા ત્રિદેવોના સ્થાનક કોટેશ્વર ધામ એ પવિત્ર અને પૌરાણિક ધામ છે. કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ગત 4 ઓગસ્ટના રોજ રાજસ્થાનના જોધપુર નિવાસી પરિવારે શિવ રુદ્ર યજ્ઞ પૂજન અર્ચન કરી વિધિ વિધાન સાથે ચાંદીનું થાળું મહાદેવજીના શ્રી ચરણોમાં અર્પણ કર્યું હતું. આ ચાંદીના થાળાથી શિવલિંગની શોભામાં વધારો થયો હતો.










