માં અંબાના ખોળે પ્રચલિત ભાદરવી પૂનમનો મહા મેળો આગામી તારીખ 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી યોજાશે જેમાં ગુજરાત સહિત પર પ્રાંતના હજારો શ્રધાળું પદયાત્રી કો ઉમટવાના હોઈ તંત્ર દ્વારા છેલ્લા એક માસથી તૈયારીઓ ચાલી રહી છે તે હવે અંતિમ ચરણમાં છે.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી સાત દિવસ સુધી શ્રધાળું પદયાત્રીઓ માટે નિશુલ્ક ભોજન ની વ્યવસ્થા કરાઈ છે. ભાદરવી પૂનમ ના મહા મેળા દરમિયાન વાહનોમાં આવનાર શ્રધાળુંઓ માટે દાંતા રોડ અને હડાદ રોડ પરની ખુલ્લી જગ્યા પર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે










