શક્તિધામ અંબાજીના મહા મેળામાં ગુજરાત સહિત વિવિધ પ્રાંતોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવનાર હોય તમામને દર્શનનો લાભ મળી રહે તે માટે દર્શનના સમયમાં વધારો કરાયો છે.


આરતી સવારના 7,30 કલાકે થતી હતી તેના બદલે મેળાના સાત દિવસ સવારની આરતી 6 થી 6,30 સુધી થશે. સવારે દર્શન 6.30 થી11.30 કલાક સુધી. બપોરે દર્શન 12:30 થી સાંજના પાંચ કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 7 થી 7.30 કલાક સુધી અને રાત્રિના દર્શન સાંજે 7:30 થી રાત્રે નવના બદલે મોડી રાત્રિના 12 કલાક સુધી મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.

આ વખતે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં બપોરે 12:30 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ મંદિર બંધ કરવામાં આવશે. 12:30 બાદ મંદિરના શિખરે ધજા ચડાવી શકાશે નહીં. સાંજના પાંચ કલાક સુધી જાળીમાંથી માત્ર દર્શન થશે અને ત્યારબાદ મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરી દેવાશે. અંબાજીમાં ચંદ્રગ્રહણે બપોરે 12:30 પછી માતાજીના પટ બંધ કરવામાં આવશે. 12:30 પછી મંદિરના શિખરે ધજા પણ ચડાવી શકાશે નહીં. 12-30 થી સાંજે પાંચ કલાક સુધી માત્ર જાળીમાંથી જ દર્શન કરી શકાશે.


  • Follow us on: