રાજ્ય સરકાર દ્વારા માવઠાના નુકસાન સામે જાહેર કરાયેલા રાહત પેકેજને લઈને હવે વિપક્ષ જ નહીં, ખુદ શાસક પક્ષ ભાજપમાં જ મોટો ભડકો થયો છે. અમરેલી જિલ્લા ભાજપના લડાયક આગેવાન અને સાવરકુંડલા APMCના ડાયરેક્ટર ચેતન માલાણીએ રાહત પેકેજથી નારાજ થઈને પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે.


[[$googlead]]

રાહત પેકેજ બાદ અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો

પક્ષમાંથી રાજીનામું આપતા ચેતન માલાણીએ સરકારના ₹10,000 કરોડના રાહત પેકેજ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ સહાય પેકેજને 'ખેડૂતોની મશ્કરી' સમાન ગણાવ્યું છે. ચેતન માલાણી, જેઓ સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી અને APMCના ડાયરેક્ટર છે, તેમણે ખુલ્લો આરોપ લગાવ્યો છે કે સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે.

સાવરકુંડલા APMC ડાયરેક્ટરનું BJPમાંથી રાજીનામું

ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનની સામે અપાયેલી ઓછી સહાયની રકમથી નારાજ થઈને તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આ લડાયક આગેવાનનું રાજીનામું અમરેલી જિલ્લા ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે આ ઘટના દર્શાવે છે કે ખેડૂતોની નારાજગી હવે સત્તાપક્ષના નેતાઓમાં પણ વ્યાપી ચૂકી છે. ચેતન માલાણીનું રાજીનામું દર્શાવે છે કે ખેડૂત સમુદાયના વિશાળ આર્થિક નુકસાન સામે જાહેર કરાયેલી સહાયની રકમ પૂરતી ન હોવાની લાગણી માત્ર વિરોધ પક્ષમાં જ નહીં, પરંતુ ખુદ ભાજપના જનપ્રતિનિધિઓમાં પણ પ્રવર્તી રહી છે.

[[$alsoread]]
  • Follow us on: