આણંદ જિલ્લામાં મહીસાગર નદી પરના ગંભીરા પુલની દુર્ઘટના બાદ ઝાલાવાડમાં વિવિધ જર્જરિત પુલોના સર્વે થયા હતા. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના કુડા પાસે આવેલ પુલ બંધ કરી દેવાયો હતો. છેલ્લા 3 માસ કરતા વધુ સમયથી આ પુલ બંધ છે. એથી 15-20 ગામો માટે મહત્વના રસ્તા સમાન આ પુલને બંધ કરાતા રસ્તાનું ડાયવર્ઝન અપાયુ છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી સતત વરસાદને લીધે ડાયવર્ઝનનો આ રસ્તો ધોવાયો છે. આ રસ્તે કીચડનું સામ્રાજય છવાયુ છે. ત્યારે આ રસ્તેથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને આ રસ્તેથી પસાર થવુ એટલે 7 કોઠા વિંધવા સમાન લાગી રહ્યુ છે. આથી ઝડપથી પુલનું સમારકામ સહિતનું કામ પુરૂ કરી વાહન વ્યવહાર માટે શરૂ કરાય તેવી પંથકમાં લોકમાંગ ઉઠી છે.

બાપુનગરમાં એજન્ટે બે ક્રેડિટકાર્ડ જનરેટ કરી કુલ રૂ. 22.71 લાખની ખરીદી કરી









