રાજસ્થાનમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે. આ તમામ શ્રદ્ધાળુઓ રણુજાની બાધા પૂરી કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમનો ટેમ્પો ટ્રક સાથે અથડાતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
રાજસ્થાનમાં અકસ્માતમાં 6 ગુજરાતીઓના મોત
આ અકસ્માત ટેમ્પો અને ટ્રક વચ્ચે થયો હતો, જેમાં કુલ 6 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. મૃત્યુ પામનારાઓમાં ધનસુરાના રૂઘનાથપુરા ગામના ચાર લોકોનો સમાવેશ થાય છે. જેમાં એક માતા-પુત્રી અને પિતરાઈ બે બહેનોના મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગામના પરિવારમાં 6 દીકરીઓ પર દીકરો થયો હતો, જેની બાધા પૂરી કરવા માટે પરિવારના આશરે 20 લોકોનો સમૂહ રણુજા જઈ રહ્યો હતો.










