બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી થઈ રહી છે.


રેવન્યુની ટીમ કરી રહી છે કામગીરી

થરાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ડેપ્યુટી કલેક્ટર ભવ્ય નિનામા અને ધર્મેશ કાછડની જોઇન્ટ ટીમ, મામલતદાર સહિત રેવન્યુ સ્ટાફની ટીમ કામગીરીમાં કાર્યરત છે. થરાદ શહેરમાંથી વરસાદી પાણી દૂર કરવા માટે ૬ પંપની મદદથી ૪૮ કલાકના સમયમાં પાણીનો નિકાલ કરાયો છે. થરાદ શહેર ખાતે પાણીનો નિકાલ થતા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે. રેવન્યુ વિભાગની ટીમો ઘર-ઘર જઈને નાગરિકોને મળીને વિગતવાર માહિતી એકત્રિત કરી રહી છે.

નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના રહે એ માટે રેવન્યુ સ્ટાફ સતત કામગીરી કરી રહ્યો છે

આ સર્વેમાં ઘરોમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન, ઘરમાં રહેલા લોકોની ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીની નોંધણી, તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી, નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના રહે એ માટે રેવન્યુ સ્ટાફ સતત કામગીરી કરી રહ્યો છે.

 

  • Follow us on: