ગુજરાતના વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ભોરલ ગામમાં તાજેતરના ભારે વરસાદને કારણે તળાવ ઓવરફ્લો થવાથી ગામના અનેક ઘરોમાં પાણી ઘૂસી આવ્યું હતું. આ કુદરતી આફતથી ગામના રહેવાસીઓને ભારે તકલીફ થઈ છે, જેમાં ઘરો, પશુઓ અને પાકનો નુકસાન થયો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વરસાદી માહોલને કારણે બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે.

તળાવ ઓવરફ્લો થતા ગામના ઘરો બેટમાં ફેરવાયા

થરદાન ભોરલ ગામમાં આવેલા તળાવમાં વધુ પડતું વરસાદી પાણી ભરાવાથી તે ઓવરફ્લો થયું, જેના કારણે નજીકના ઘરોમાં પાણી ઘૂસી આવ્યું. ગામના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રચાઈ ગઈ.અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત અને કેશડોલ માટે સ્થાનિક વહીવટને રજૂઆત કરવામાં આવી છે.પાણીના ભરાવાથી ઘરગથ્થુ સામાન અને પાકને નુકસાન થયું છે.

પાણી નિકાલ,અસરગ્રસ્ત લોકોને કેશડોલ માટે રજૂઆત

ગામના સરપંચે જણાવ્યું કે,ઊંડા તળાવ જ પાણી નિકાલનો કાયમી ઉકેલ છે.તેથી, તળાવને વધુ પહોળું અને ઊંડું બનાવવા માટે સિંચાઈ વિભાગ પાસે માગ કરવામાં આવી છે.વધુમાં,કરીયાણા,કીટ અને ગાયોને ઘાસ પણ પહોંચાડવામાં આવ્યું છે, જેથી પશુઓને પણ તકલીફ ન થાય.આ વરસાદી આફત થરાદ તાલુકાના અન્ય ગામોમાં પણ જોવા મળી છે. ઉદાહરણ તરીકે,થરાદ-ધાનેરા વિસ્તારમાં રેલ નદીના બંને કાંઠેના ગામોમાં પાણી ઘૂસ્યું હતું, અને મલુપુર તથા રામપુરા જેવા ગામોમાં પૂર જેવી સ્થિતિ રચાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે, ખાસ કરીને બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમને કારણે.

  • Follow us on: