બનાસકાંઠા જિલ્લાના ચાંગા ગામેથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા બાદ માત્ર 3 વર્ષના નિર્દોષ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને ગ્રામજનોમાં ભારે ભય અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે.

આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ

બાળકના મોતના અહેવાલ મળતા જ સ્થાનિક આરોગ્ય તંત્ર તુરંત જ હરકતમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની વિશેષ ટીમો તાત્કાલિક ધોરણે ચાંગા ગામે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક તકેદારીના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઘરે-ઘરે ડોર-ટુ-ડોર સર્વેલન્સ હાથ ધરાયું

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ચાંગા ગામમાં ઘરે-ઘરે જઈને સઘન સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા અન્ય બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે અને લોકોને વાયરસના લક્ષણો તથા તેનાથી બચવાના ઉપાયો અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Dwarka ના વિરપુરમાં SOG ના દરોડા, બાવળની ઝાડીમાંથી બંદૂક સાથે આરોપી ઝડપાયો...