ભરૂચના અતિ પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગ ધરાવતા નીલકંઠ મહાદેવ મંદિરનો મેળો શ્રાવણી અમાસે ભરાયો હતો.
ભરૂચ ખાતે છડી મેઘરાજા, ઉપરાંત ફુરજા, નવચોકી, મકતમપુર મહારૂદ્ર તેમજ નીલકંઠ મહાદેવનો મેળો ભરાતા હતા. જો કે હવે ભરૂચમાં મેઘરાજાનો મેળો શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ભરાય છે તો સેવાશ્રમ પાસે આવેલ અતિપૌરાણિક નીલકંઠ મહાદેવનો મેળો જે તેની પરંપરા મુજબ ભરાઈ રહ્યા છે. શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસે નીકલંઠ મહાદેવના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી શિવભકતો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે શિવજીને વિશેષ જટા અને શણગાર કરવામાં આવ્યા હતા. 24 કલાકના ભજન અને શહેરના વિવિધ ત્રણ મંદિરોમાંથી આવતી પાલખીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. અમાસના પુર્વ દિને ફરસરામી દરજી પંચ દ્વારા મહાદેવની પાલખી મંદિર પટાંગણથી કાઢી સેવાશ્રમ રોડથી નીલકંઠ નગરથી સિદ્ધનાથ મહાદેવ થઈ પરતી નીલકંઠ મહાદેવ મંદિરે પરત ફરી હતી.










