વલભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં 74 વર્ષના વૃદ્ધ અરજણભાઈ દિયોરાને ઢોર માર મારવાની ઘટના સામે આની હતી. જે ઘટનાને લઈ સમગ્ર પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલે ન્યાયની માગણી સાથે વૃદ્ધના પરિવારજનો અને પાટીદાર સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને રેન્જ આઈજીની કચેરીએ પહોંચીને મૌખિક રજૂઆત કરી હતી.
વૃદ્ધને માર મારવા મામલે પાટીદાર સમાજમાં ભારે આક્રોશ













