GCAS પોર્ટલની નિષ્ફ્ળતાથી શિક્ષણ વિભાગ પર છાત્રોનો ભરસો તુટયો હોવાનો આક્ષેપ એબીવીપીએ કરીને જીકાસ પોર્ટલની એડમિશન પ્રક્રિયા પરત્વે નારાજગી વ્યક્ત કરી છે.


આ અંગે એબીવીપીના હોદેદારોના જણાવ્યા અનુસાર, અ.ભા.વિ.પ. છેલ્લા ઘણાં વર્ષોથી રાજ્યની સરકારી વિશ્વવિધાલયોમાં પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીકૃત તથા પારદર્શક કરવાની માંગ કરતી આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષથી ગુજરાતની 14 રાજ્ય વિશ્વવિધાલયોની પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ થકી કરવાનો પ્રયાસ કરવાં આવી રહ્યો છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા છેવાડાના વિધાર્થીઓ સરળતાથી, સુલભ અને રાહતદરે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વાભાવિક રૂપે રાજ્ય સરકારની રહે છે, પરંતુ ખુબ દુઃખ સાથે જણાવવું પડે કે, માત્રને માત્ર GCAS પોર્ટલની નિષ્ફ્ળતાના કારણે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પરનો વિધાર્થીઓનો ભરોસો તૂટયો છે.

GCAS પોર્ટલ દ્વારા ચાલતી અત્યંત ધીમી પ્રવેશ પ્રક્રિયાના કારણે સરકારી મહાવિધાલયો અને વિશ્વવિધાલયોમાં દર વર્ષની સાપેક્ષે પ્રવેશ થયા નથી, પરિણામે, ઈન્ટેક કરતા ખૂબ ઓછી સંખ્યામાં વિધાર્થીઓને જે તે સરકારી સંસ્થાનોમાં પ્રવેશ મળ્યા છે.

એબીવીપીની શુ માગણીઓ છે...??

1. નિજી વિશ્વવિધાલયોની પ્રવેશ પ્રક્રિયાને પણ પારદર્શી બનાવવા તથા રાજ્ય વિશ્વવિધાલયો અને નિજી વિશ્વવિધાલયોને સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા, આવનાર શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ નિજી વિશ્વવિધાલયોને GCAS પોર્ટલ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હેતુ આવરી લેવામાં આવે

2. ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં 'મોક રાઉન્ડ' ઉમેરી વિધાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવે, પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવી, વધુ વિલંબ અટકાવી, ત્વરિત સમાપ્ત કરવામાં આવે.


  • Follow us on: