ભાવનગર મનપાની લેટ લતીફ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે. સમયસર ન આવતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. મનપાના એડમીન કમિશનરે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. કર્મચારીઓએ ફરજિયાત બાયોમેટ્રિકથી હાજરી પુરાવી પડશે. 10:45થી મોડા આવતા અધિકારી, કર્મીઓની અડધી રજા મુકાશે. સૂચનાના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યા છે.


[[$googlead]]

ભાવનગર મનપાની લેટ લતીફ કર્મચારીઓ સામે કાર્યવાહી

[[$alsoread]]

મનપાના એડમીન કમિશ્નરએ લેટ લતીફ કર્મચારીઓ સામે આદેશ કર્યો છે. મનપા કચેરીમાં સમયસર નહીં આવનારા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મનપાની કચેરીઓમાં કેટલાક કર્મચારીઓ સમયસરના આવતા મનપાનું તંત્ર જાગ્યું અને કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. મનપાના તમામ કર્મચારીઓએ ફરજિયાત બાયોમેટ્રિકથી હાજરી પુરવાની રહેશે. 10.45 થી મોડા આવનાર અધિકારી અને કર્મચારીઓની અડધું પરચુરણ રજા કાપવામાં આવશે.

કર્મચારીઓએ ફરજિયાત બાયોમેટ્રિકથી હાજરી 

મનપાના કચેરીમાં મોડા આવતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું કમિશ્નરે જણાવ્યું છે. આ સૂચના ના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કોઈ કર્મચારી 10:45થી મોડા આવશે તો અડધી રજા ગણી લેવામાં આવશે. કર્મચારીઓ સમય સર ન આવતા હોવાથી કમિશ્નરે આદેશ આપ્યો છે. હવે જોવું રહ્યું કે આ નિયમથી કર્મચારીઓ સમયસર આવતા થશે કે પછી તે લેટ લતીફ જેવા જ રહશે.

  • Follow us on: