અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં 14 વર્ષીય માસુમ સગીરાને પ્રેમજાળમાં ફસાવી મુંબઈ ભગાડી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે પીડિત પરિવારની રજૂઆત અને ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પોક્સો (POCSO) એક્ટ તથા અપહરણની વિવિધ કલમો હેઠળ વિધર્મી યુવક વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
14 વર્ષની કિશોરીને લાલચ આપી મુંબઈ લઈ ગયો, પરિવારે નોંધાવી ફરિયાદ
મળતી વિગતો મુજબ, આરોપી યુવકે 14 વર્ષની સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી અને તેને વહેલા-મોડા લાલચ આપીને મુંબઈ તરફ લઈ ગયો હતો. ઘરની સગીર વયની દીકરી અચાનક ગુમ થઈ જતાં ચિંતિત બનેલા પરિવારે આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો ન મળતાં આખરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તુરંત જ અપહરણનો ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા.
