ગુજરાતમાં મોટા શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં બાઉન્સર્સ રાખવામાં આવે છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે અનેક વખત બાઉન્સર્સ સાથે વિવાદો થતા હોવાના બનાવો સામે આવે છે. દર્દીઓ સાથે દાદાગીરીથી વર્તન કરતા બાઉન્સર રાજથી અનેક સવાલો ઉભા થયા હતાં. ત્યારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં એક બાઉન્સરે દર્દીને લાફો મારી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
બાઉન્સરે દર્દીને લાફો માર્યાનો પરિવારજનોનો આક્ષેપ













