પોતાની પત્ની વિરુદ્ધ લેસ્બિયન હોવા સહિતના ગંભીર આરોપ લગાવી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વ્રજેન્દ્રપ્રસાદ પાંડે દ્વારા પત્ની અને સાસરિયાઓ વિરુધ્ધ શહેરના ઘાટલોડિયા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ રદ કરાવવા સાસરિયાપક્ષના સભ્યો તરફથી હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન કરાઈ હતી અને જણાવાયું હતું કે, બંને પક્ષે સમાધાન થઈ ગયુ છે અને તેથી હવે ફોજદારી કાર્યવાહીનો અર્થ રહેતો નથી. બંને પક્ષને સાંભળ્યા બાદ હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરી હતી.
પોતાની પત્નીને સુપમાં સફેદ પાવડર ભેળવતા જોઇ ગયા હતા વજેન્દ્ર પ્રસાદ
કાલુપુર સ્વામનિરાયણ મંદિરના વ્રજેન્દ્રપ્રસાદ પાંડે દ્વારા કરાયેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, તેમની પત્નીએ સાચી હકીકતો છુપાવીને તેમની સાથે લગ્ન કર્યા છે અને પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો છે. હનીમુન દરમ્યાન પણ તેમની પત્ની સફેદ પાવડર જેવું કેફી દ્રવ્ય તેમના ખોરાકમાં નાંખી પીવડાવતી હતી, જેથી તેમને કંઇ યાદ રહેતું ન હતું. તેઓ હનિમુન માટે બાલી ગયા ત્યારે તેઓ પોતાની પત્નીને સુપમાં સફેદ પાવડર ભેળવતા જોઇ ગયા હતા.
પત્ની કોઈ સ્ત્રી સાથે લેસ્બિયન સંબંધો બાંધી રહી હતી ?
બાદમાં જયારે રાત્રે ઉઠીને જોયું તો તેમની પત્ની હોટલના અન્ય રૂમમાં અન્ય કોઈ સ્ત્રી સાથે લેસ્બિયન સંબંધો બાંધી રહી હતી. પત્નીની ચેટમાં એવો પણ ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપી પત્નીએ ફરિયાદી પાસેથી રૃ.૧૦૦ કરોડ પડાવી ભાગી જવાનું કાવતરું રચ્યું છે. જો કે, ગયા મહિને નોંધાયેલી આ પોલીસ ફરિયાદ રદબાતલ ઠરાવવા સાસરિયાપક્ષના સભ્યોએ હાઈકોર્ટમાં રિટ અરજી કરી હતી અને બંને પક્ષે સમાધાન થઈ ગયુ હોવાની વાત કોર્ટના રેકર્ડ પર રજૂ કરી હતી. બંને પક્ષે સમાધાન અને જરૃરી એફિડેવીટ ધ્યાનમાં લીધા બાદહાઇકોર્ટે આખરે કેસની ફરિયાદ રદબાતલ ઠરાવી હતી.










