કચ્છના અંજાર તાલુકામાંથી માનવતાને શર્મસાર કરનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સાવકા પિતાએ માત્ર બે વર્ષના માસૂમ પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું હીન કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ અને પ્રાથમિક વિગતો અનુસાર આરોપીએ બે વર્ષ અગાઉ આ મહિલા સાથે લગ્ન કર્યા હતા, અને મહિલા પોતાના અગાઉના બે સંતાનોને સાથે લઈને આવી હતી.
સાવકા પિતાએ પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
આ કૃત્ય પાછળનું કારણ ચોંકાવનારું છે. થોડા સમય અગાઉ મહિલા ગર્ભવતી થઈ હતી, પરંતુ પતિ (સાવકા પિતા)ની મરજી વિરુદ્ધ તેણે ગર્ભપાત કરાવી નાખ્યો હતો. સાવકા પિતાએ આ બાબતનું મનદુઃખ અને વેર રાખીને પોતાના હવસને સંતોષવા માટે માસૂમ પુત્રને નિશાન બનાવ્યો હતો. તેણે બાળકને ફરવા લઈ જવાના બહાને આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
