ભાવનગરમાં ગુનાખોરીનો આંકડો સતત વધી રહ્યો છે. શહેરમાં ફોરેસ્ટ કોલોનીમાંથી એક મહિલા અને બે બાળકોના દટાયેલી હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. ત્રણ લોકોના થોડા સમય પહેલા ગુમ થયા હોવાની જાણ કરાઈ હતી. 10 દિવસ બાદ ત્રણેયના મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.


10 દિવસ બાદ ત્રણેયના મૃતદેહ મળી આવ્યા

ભાવનગરમાં ફોરેસ્ટ કોલોનીના ઓફિસર ક્વાર્ટરના વાડામાંથી એક મહિલા અને બે બાળકોના દટાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. આ ત્રણેય લોકોના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. જેના 10 દિવસ બાદ મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને આ ઘટનામાં મહિલાના ફોરેસ્ટ કર્મચારી પતિ સામે શંકા હોવાથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા છે.

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરાઇ

ભાવનગરમાં રામમંત્ર મંદિર પાસે કાચના મંદિરની સામે ફોરેસ્ટ કોલોની આવેલી છે. આ કોલોનીમાંથી 10 દિવસ પહેલા એક મહિલા અને બે બાળકો ગુમ થયા હોવાની ભરતનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં આ ત્રણેયના ફરિયાદ થયાના 10 દિવસમાં જ મૃતદેહો મળતાં ત્રિપલ મર્ડર અંગે શંકા પ્રવર્તી રહી છે. પોલીસે મહિલાના ફોરેસ્ટ ઓફિસર  પતિ સામે શંકા હોવાથી તપાસ હાથ ધરી છે.


  • Follow us on: