બનાસકાંઠામાં ડિપ્થેરિયાથી બાળકના મોતની આશંકા કરવામાં આવી છએ. ધાનેરાના થાવર ગામમાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે. 7 વર્ષના બાળકના મોતથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 2017માં લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી બ્રિજેશ વ્યાસે જણાવ્યું કે ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. 5 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.


[[$googlead]]

બનાસકાંઠામાં ડિપ્થેરિયાથી બાળકના મોતની આશંકા

[[$alsoread]]

 ધાનેરાના થાવરમાં ગામે 7 વર્ષના બાળકનું ડિપ્થેરિયાથી મોતની આશંકા કરવામાં આવી રહી છે. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો.બ્રિજેશ વ્યાસ સહિત આરોગ્યની ટીમો થાવર ગામમાં પહોંચી છે. ડિપ્થેરિયાથી 2017માં ધાનેરાના લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા. હાલ 7 વર્ષના બાળકનું મોતથી આરોગ્ય તંત્ર હકતમાં આવ્યું છે.

ધાનેરાના થાવર ગામમાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ

જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો.બ્રિજેશ વ્યાસે જણાવ્યું કે આ બાળકના ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝેટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 5 દિવસ પહેલા સેમ્પલ લેવાયા છે. જેના રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. છેલ્લા પાંચ દિવસથી ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી હતી.


  • Follow us on: