દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી ચાલી રહી છે. અને આવતીકાલે જન્માષટ્મી તહેવારને લઈને રાજ્યના કૃષ્ણ મંદિરોમાં તડામાર તૈયારી થઈ રહી છે. દ્વારકા મંદિરમાં જન્માષ્ટમીનો પ્રસાદ ઘેર બેઠા મળશે તેવી સોશિયલ મીડિયામાં જાહેરાત થઈ રહી છે. એક એપ દ્વારા જન્માષ્ટમી ઉત્સવનો આનંદ લેવા તમને ઘેર બેઠા જ પ્રસાદ મળશે તેવું આ એપમાં દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવા સામે હવે દ્વારકા મંદિર ટ્રસ્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી.
વેબસાઈટને લઈને સ્પષ્ટતા












