ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કમોસમી વરસાદ (માવઠા) ના માહોલને કારણે રાજકીય કાર્યક્રમો અને પ્રવાસો પર અસર પડી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો આગામી પ્રવાસ આ જ કારણોસર રદ કરવામાં આવ્યો છે.
અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો આગામી પ્રવાસ રદ
જગદીશ વિશ્વકર્મા 2 નવેમ્બર થી તેમના સંગઠનાત્મક પ્રવાસનો બીજો તબક્કો શરૂ કરવાના હતા. આ પ્રવાસ અંતર્ગત તેઓ આણંદ, ખેડા, નડિયાદ, સાણંદ જિલ્લાઓ અને વિસ્તારોની મુલાકાત લેવાના હતા.










