ગાંધીનગરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવના અવસરે ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે વિશાળ ઉજવણી યોજાઈ. શહેરના યુવા પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
CMએ ભગવાન પરશુરામની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી
કાર્યક્રમનું મુખ્ય કેન્દ્ર સેક્ટર-16 ખાતે આવેલું બ્રહ્મસમાજ ભવન રહ્યું, જ્યાં ભવ્ય શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાન પરશુરામની મૂર્તિ સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી અને આરતી કરી ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન બ્રહ્મસમાજના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.













