રાજ્યમાં ખેડૂતોને ખાતરની ઉપલબ્ધતા અને વિતરણમાં પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે પહેલ કરી છે. ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય,જિલ્લા,તાલુકા મથકો પર કંટ્રોલ રૂમ કાર્યરત કર્યા છે. આ કંટ્રોલ રૂમથી ખેડૂતોની ફરિયાદો અને રજૂઆતોનું નિરાકરણ લાવવામાં મદદ થશે. ખાતર મેળવવામાં મુશ્કેલી સહિતની ફરિયાદ કરી શકશે.


દરેક તાલુકામાં 1-1કંટ્રોલ રૂમ શરૂ 

આ 33 જિલ્લા કક્ષાના દરેક તાલુકામાં 1-1કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. આ હેલ્પલાઈન સવારે 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. રાજ્ય સરકારની આ પહેલથી ખેડૂતોને પડતી મુશ્કેલીની સીધી રજૂઆત રાજ્ય કક્ષાએ કરી શકાશે અને ઝડપથી નીરાકરણ આવશે.

ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી કંટ્રોલ રૂમ શરૂ 

ગુજરાતમાં ખેડૂતો માટે ચોમાસામાં વરસાદ બાદ પાકમાં ખાતરની સમસ્યા આવતી હોય છે. ખેડૂતોની દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા ખેતી નિયામક કચેરી દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. ખાતર મેળવવામાં મુશ્કેલી સહિતની ફરિયાદ કરી શકશે.


  • Follow us on: