ગાંધીનગરમાં સરકારી ભરતીમાં અનામત બેઠકોના મામલે માજી સૈનિકોએ ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું. તેમની મુખ્ય માંગણી એ હતી કે માજી સૈનિકો માટે અનામત રાખવામાં આવેલી બેઠકો અન્ય કોઈ કેટેગરીમાં ફાળવવામાં ન આવે. માજી સૈનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે સરકારી નોકરીઓમાં તેમના માટે અનામત રાખવામાં આવેલી બેઠકો તેમને જ મળવી જોઈએ અને તેનો ઉપયોગ અન્ય કોઈ કેટેગરીના ઉમેદવારો માટે ન કરવો જોઈએ.


માજી સૈનિકોની માંગણીઓ નહીં સ્વીકારાય તો વિધાનસભાનો કરશે ઘેરાવ 

સૈનિકોએ દેશની સેવા કરી છે અને આ અનામત બેઠકો તેમના બલિદાનનું સન્માન છે. આંદોલનકારી માજી સૈનિકોએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો સોમવાર સુધીમાં સરકાર આ મામલે કોઈ નક્કર બાંહેધરી નહીં આપે અને તેમની માંગણીઓ અસ્વીકાર કરશે તો તેઓ વિધાનસભાનો ઘેરાવ કરશે. આ ચીમકીથી સ્પષ્ટ થયુ હતું કે માજી સૈનિકો આ મુદ્દે કેટલા ગંભીર છે અને તેમના અધિકારો માટે લડત ચલાવવા માટે કટિબદ્ધ છે.

સોમવાર સુધી વિવાદનો ઉકેલ લાવવા માંગ

માજી સૈનિકોના આ આંદોલનથી સરકાર પર આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવાનું દબાણ વધ્યું છે. આ મામલો સંવેદનશીલ હેવાના કારણે તે દેશની સુરક્ષામાં યોગદાન આપનાર સૈનિકોના હિતો સાથે જોડાયેલો છે. હવે જોવું એ રહ્યું કે સરકાર માજી સૈનિકોની માંગણીઓ પર કેવું વલણ અપનાવે છે અને આ વિવાદનો કેવી રીતે ઉકેલ આવે છે.


  • Follow us on: