રાજ્યના HTAT મુખ્ય શિક્ષકો માટે શિક્ષણ વિભાગ દ્વારા એક અતિ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.સરકાર દ્વારા મુખ્ય શિક્ષકોની સળંગ સેવા અને ઓલ્ડ પેન્શન સ્કીમ બાબતે લાંબા સમયથી ચાલી આવતા પડતર કેસોનો કાયમી નિકાલ કરવા માટે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી 15 નથી શરૂ થઈને 8 જુલાઈ સુધી ચાલનારા આ ખાસ કેમ્પ અંતર્ગત અંદાજે 1771 જેટલા મુખ્ય શિક્ષકોના પડતર પ્રશ્નો અને કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવશે.


સળંગ સેવાનો કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહીં

શિક્ષણ વિભાગના આ નિર્ણય અનુસાર,એપ્રિલ 2005 અગાઉ સીધી ભરતીથી નિમણૂંક પામેલા મુખ્ય શિક્ષકોની સેવાને સળંગ ગણવામાં આવશે અને તેમને સીધો લાભ મળવાપાત્ર થશે.જો કે,આ યોજનાનો લાભ મેળવવા માટે શિક્ષકોએ આગામી ત્રણ માસની અંદર પોતાનો વિકલ્પ સત્તાવાર રીતે આપવો પડશે.આ સાથે જ સરકારે સ્પષ્ટતા કરી છે કે જે કર્મચારીઓએ અગાઉ કોઈ કારણસર રાજીનામું આપ્યું હશે,તેમને આ સળંગ સેવાનો કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહીં.

શિક્ષણ વિભાગ સમક્ષ અલગથી દરખાસ્ત

બીજી તરફ,એપ્રિલ 2005 પછી ભરતી થયેલા શિક્ષકોની સેવા માટે શિક્ષણ વિભાગ સમક્ષ અલગથી દરખાસ્ત કરવામાં આવી છે.આ ઉપરાંત,રજાના હેતુસર પણ સેવા સળંગ ગણવા અંગેની મહત્વની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.સરકારના આ સકારાત્મક વલણ અને વિશેષ કેમ્પના આયોજનથી રાજ્યના હજારો મુખ્ય શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્ષો જૂની પેન્શન તેમજ સિનિયોરિટી બાબતની મુંઝવણોનો અંત આવશે.આ કામગીરીને સુચારુ રૂપે ચલાવવા માટે ખાસ નોડલ અધિકારીની નિમણૂંક પણ કરવાની રહેશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને સરકારી જમીન લેવી ભારે પડી, હાઈકોર્ટે કહ્યું જમીન ખાલી કરો



  • Follow us on: