ગુજરાતના ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનોના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, રાજ્યમાં ખેડૂતો 10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2026 સુધી ટેકાના ભાવે વેચાણ કરવા માટે પોતાની નોંધણી કરાવી શકશે.

ગાંધીનગરથી ખેડૂતો માટે મોટા સમાચાર

આ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે ખેડૂતોને 30 દિવસનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. સમયમર્યાદામાં નોંધણી કરાવનાર ખેડૂતો પાસેથી જ સરકાર નક્કી કરેલા ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત મુખ્યત્વે ચાર ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીન ની ખરીદી આવરી લેવામાં આવી છે.

ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ

ખેડૂતોએ પોતાની નોંધણી કરાવવા માટે નજીકની ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા VCE નો સંપર્ક કરવાનો રહેશે.ખેડૂતોને નોંધણી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી કાગળો જેવા કે 7/12, 8-અ ના ઉતારા, આધાર કાર્ડ અને બેંક પાસબુકની વિગતો સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળવાની આશા બંધાઈ છે.

આ પણ વાંચો: Chhotaudepur: ચીલરવાંટનો ગ્રામસેવક 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; વનબંધુ યોજનાની સબસિડી માટે માગ્યા પૈસા