ગુજરાતમા વેચાઈ રહેલી નકલી દવાઓનું વેચાણ અટકાવવા તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. નકલી દવાઓ વેચનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નકલી દવાઓના વેચાણ પર સરકાર સખત કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 17 લાખ નકલી દવાઓ જપ્ત કરવામાં આવી છે.


કાયદાકિય નિયમોને વધુ કડક બનાવાશે

રાજ્ય સરકારના કેબિનેટ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, નકલી દવાઓના વેચાણ સામે સરકાર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 17 લાખ જેટલી નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આવી દવાઓના વેચાણ સામે કાયદાકિય નિયમોને વધુ કડક બનાવાશે. નકલી દવાઓ ગુજરાતમાં ના આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

નકલી દવાઓ ગુજરાતમાં ન આવે તેવી વ્યવસ્થા કરાશે

કેબિનેટ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, દવાઓ વેચનારા વેપારીઓ પાસેથી નકલી દવાઓનું વેચાણ પકડાશે તો તેમનું લાયસન્સ રદ કરવા સહિતના નિયમો બનાવાશે. હોલસેલર વિરૂદ્ધ કડક કાયદા કરવા, લાયસન્સ રદ્દ કરવા અને નવું લાયસન્સ ન મેળવી શકે તેવા નિયમો બનાવાશે. ડુપ્લિકેટ દવાઓ બહારથી પણ ગુજરાતમાં ના આવી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. આવી દવાઓના વેચાણ સામે મોનિટરિંગ કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.


  • Follow us on: