પવિત્ર ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે રાજ્ય સરકાર અને શાસક પક્ષ દ્વારા એક વિશેષ યોજના બનાવવામાં આવી છે. આ ખાસ દિવસે રાજ્યના તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને પોતપોતાના વિસ્તાર તેમજ રાજ્યના અગ્રણી સંતો-મહંતોનું સન્માન અને પૂજન કરવાનો મહત્વપૂર્ણ ટાસ્ક સોંપવામાં આવ્યો છે. આ અંગે ભાજપ સંગઠન અને સરકાર દ્વારા તમામ મંત્રીઓ અને શાસક પક્ષના ધારાસભ્યોને જરૂરી સુચનાઓ પણ જારી કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી પોતે અડાલજ સ્થિત ત્રિ-મંદિર ખાતે પૂજા કરશે

ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વે મુખ્યમંત્રી પોતે અડાલજ સ્થિત ત્રિ-મંદિર ખાતે પહોંચીને વિશેષ પૂજા-અર્ચના કરશે અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. 

તમામ મંત્રી-ધારાસભ્યોને આપવામાં આવી સુચના 

આ સિવાય રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્યો વિવિધ આશ્રમો, મઠો અને ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈને સંતવૃંદના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેશે.

ગુરુજનોનું સન્માન કરવાની સંસ્કૃતિ

સાધુ-સંતો અને ગુરુજનોનું સન્માન કરવાની સંસ્કૃતિને જાળવી રાખવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં યોજાનારા આ કાર્યક્રમોને પગલે વિવિધ મઠો અને આશ્રમો ખાતે રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ જોવા મળશે.