[[$googlead]]
ગાંધીનગરમાં ઢોર માર મારતા ચોરનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના મામલે પોલીસે હત્યાના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી છે. લવારપુર ગામે ચોરી કરતા લોકોએ માર માર્યો હતો. ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઢોર માર મારતા ચોરનું મોત થયું

 ગાંધીનગરના લવારપુર ગામે એક્ટીવા ચોરી થવાની ઘટના બની હતી. મૂળ ભિલોડાના કલ્પેશ કટારા નામના એક્ટીવા ચોરતા વ્યક્તિને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં ચોરનું ઢોર માર મારવામાં મોત થયું છે. પોલીસે માર મારનાર ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

 પોલીસે 3 લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો

લવારપુર ગામે ચોરને 3 લોકોએ માર મારતા મોત થયાની ઘટના સામે આવી છે. 3 લોકોએ ચોરને એવો માર માર્યો કે તેનું મોત થયું છે. આ મામલાની પોલીસને જાણ થતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસે 3 લોકો સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: