રાજ્યમાં IAS-IPS અધિકારીઓની બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક વખત પોલીસ વિભાગમાં બદલી કરવામાં આવી છે. રાજ્યના 105 IPSની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ બદલીના ઓર્ડર પેન્ડિંગ હતા. ત્યારે અક્ષયરાજ મકવાણાની ભરૂચ SP તરીકે બદલી કરવામાં આવી છે તો પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર SP તરીકે બદલી કરવામાં આવી છે.


[[$googlead]]

IPS રોહન આનંદની SP CID ક્રાઈમમાં બદલી કરાઈ

મનોહરસિંહ જાડેજાની અરવલ્લીના SP તરીકે બદલી કરવામાં આવી છે. સફીન હસનને મહિસાગરના SP બનાવવામાં આવ્યા છે. એસ.વી.પરમારની એસઆરપી ગ્રુપ 15માં બદલી કરવામાં આવી છે.IPS રાહુલ ત્રિપાઠીની અમદાવાદ DCP SOG અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. IPS રોહન આનંદની SP CID ક્રાઈમમાં બદલી કરાઈ છે. વિવાદમાં રહેલા મનીષસિંહને સાઈડ પોસ્ટિંગ કરવામાં આવ્યા છે અને કચ્છના ભચાઉમાં SRP ગ્રુપમાં મુકાયા છે. જ્યારે ડો.હર્ષદ પટેલની અમદાવાદ ઝોન -1માં નાયબ CP તરીકે બદલી કરાઈ છે. 

[[$alsoread]]

IPS પાર્થરાજસિંહ ગોહિલની SP સાબરકાંઠામાં બદલી

જ્યારે IPS પાર્થરાજસિંહ ગોહિલની SP સાબરકાંઠામાં બદલી કરવામાં આવી છે. વલસાડના કરણરાજ વાઘેલાની સુરત ઇકોનોમિક વિંગમાં બદલી કરાઈ છે તો મહિસાગરના SP જયદિપસિંહ જાડેજાને ગીર સોમનાથના SP બનાવવામાં આવ્યા છે. દાહોદના SP રાજદીપસિંહ ઝાલાની ગાંધીનગર સાયબરમાં બદલી કરવામાં આવી છે. સુરત ઝોન-2 DCP ભગીરથ ગઢવીની અમદાવાદ ઝોન-6માં બદલી કરવામાં આવી છે. 

  • Follow us on: