ગુજરાત રાજ્યમાં ચોમાસાની જામતી મોસમ વચ્ચે સતત પડી રહેલા ભારે વરસાદ અને વાવાઝોડા જેવા પવનોના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓમાં મોટી સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 4 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ 284 જેટલા વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે. આ ઉપરાંત 92 જેટલી અલગ-અલગ જગ્યાઓ પર વૃક્ષોની મોટી ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે અનેક માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 61 વૃક્ષો પડ્યા
વૃક્ષો ધરાશાયી થવાના આંકડાઓ પર નજર કરીએ તો ઉત્તર-પશ્ચિમ ઝોન સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં સૌથી વધુ 61 વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની છે. આ સિવાય પશ્ચિમ ઝોનમાં 51 વૃક્ષો અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 41 વૃક્ષો ધરાશાયી થયા છે. મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને જાહેર રસ્તાઓ પર વૃક્ષો તથા મોટી ડાળીઓ તૂટી પડતાં વીજવાયરો તૂટવાના તેમજ વાહનોને નુકસાન થવાના બનાવો સામે આવ્યા છે.
