
Vadodara: દામાપુરા ખાતે સીએસઆર અંતર્ગત ફાર્મસન કૉમ્યુનિટી હોલનું લોકાર્પણ

Jun 27, 2025 11:24 pm
જગન્નાથપુરીની રથયાત્રામાં 600તી વધુ લોકોને હોસ્પિટલ ખસેડાયા
જગન્નાથપુરની રથયાત્રામાં ભારે ભીડ ભેગી થવાને કારણે 600થી વધુ લોકોને ઈજા અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
Jun 27, 2025 10:31 pm
ભગવાનને આખી રાત મંદિર પરિસરમા રખાશે
અમદાવાદની નગરચર્યા કરીને નિજ મંદિર પરત ફરેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નજર ઉતારાઈ હતી. ત્યાર બાદ પૂજા આરતી કરવામાં આવી હતી. આજે આખી રાત ભગવાનને મંદિર પરિસરમાં રાખવામાં આવશે. વહેલી સવારે મૂહૂર્ત પ્રમાણે મંદિરમાં બિરાજમાન કરાશે.
Jun 27, 2025 10:29 pm
બેકાબૂ થયેલા ગજરાજને વનતારા લઈ જવાશે
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રા દરમિયાન ખાડિયામાં એક ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યાર બાદ અન્ય બે ગજરાજ પણ બેકાબુની અસર દેખાતા કૂલ ત્રણ ગજરાજનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરેલા ગજરાજોને મંદિર તરફ લઈ જવાયા હતાં. બેકાબૂ બનેલા ગજરાજને જામનગર ખાતેના વનતારામાં લઈ જવાશે.
Jun 27, 2025 09:38 pm
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા કરીને ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ નિજ મંદિરમાં પરત ફર્યો
Jun 27, 2025 09:19 pm
ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા છે. મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી છે.
Jun 27, 2025 09:00 pm
ભગવાન જગન્નાથજીની ધ્વજ પતાકા મંદિર પણ મંદિર પહોંચી
ભગવાન જગન્નાથજીની ધ્વજ પતાકા મંદિર પણ મંદિર પહોંચી ગઈ છે. આ ઉપરાંત મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ મંદિર પહોંચી ગયા છે. હવે રથયાત્રા પણ નિજ મંદિર પહોંચવાની તૈયારીમાં છે.
Jun 27, 2025 08:58 pm
ભુજ હમીરસર તળાવ પાસે કચ્છ કાર્નિવલ યોજાયો
ભુજમાં હમીરસર તળાવ પાસે કચ્છ કાર્નિવલ યોજાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્નિવલમાં ઉપસ્થિત રહ્યાં છે. અષાઢી બીજ કચ્છી નવા વર્ષ નિમિતે કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. કાર્નિવલમાં 2500 જેટલા કલાકારોએ ભાગ લીધો છે. કચ્છ કાર્નિવલમાં 60 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. કચ્છની વિવિધ લોક સંસ્કૃતિની અલગ અલગ કૃતિઓ રજૂ કરાઈ છે.
Jun 27, 2025 08:04 pm
જગન્નાથ મંદિરે ટ્રક અને અખાડા પરત ફર્યા
ભગવાન જગન્નાથની રથયાત્રા નિજ મંદિરે પરત ફરી રહી છે. રથયાત્રામાં જોડાયેલા ટેબ્લો, ટ્રક અને અખાડા નિજ મંદિર પરત ફર્યાં છે.
Jun 27, 2025 07:26 pm
શાહપુરમાં કબૂતર ઉડાડી એકતાનો સંદેશ અપાયો
ભગવાન જગન્નાથની રથયાત્રા શાહપુર પહોંચી છે. જ્યાં કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દિન શેખે રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. તેમણે સફેદ કબૂતર ઉડાડીને એકતાનો સંદેશ આપ્યો હતો.

Jun 27, 2025 07:23 pm
ત્રણેય રથ શાહપુર દરવાજા પહોંચ્યા
સાંજ પડતા જ ત્રણેય રથને ઝડપથી નિજ મંદિર તરફ લઈ જવામાં આવી રહ્યા છે. ત્રણેય રથ શાહપુર દરવાજા પહોંચ્યા છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી છે.
Jun 27, 2025 06:54 pm
ટેબ્લો નિજ મંદિર પરત ફર્યા
ભગવાનના રથ શાહપુર હલીમની ખડકીથી આગળ નીકળ્યા છે. અખાડા ઘી કાંટાથી આગળ નીકળ્યા છે. ટેબ્લો નિજ મંદિર પરત ફર્યા છે.
Jun 27, 2025 06:38 pm
ત્રણેય રથ દરીયાપુર તંબુ ચોકીથી શાહપુર તરફ રવાના થયાં
ભગવાનના ત્રણેય રથ દરીયાપુર તંબુ ચોકીથી શાહપુર તરફ રવાના થયાં છે. ટેબ્લો નિજ મંદિર તરફ રવાના થયાં છે. વાજતે ગાજતે ભગવાન નિજ મંદિર પરત ફરી રહ્યાં છે.
Jun 27, 2025 06:06 pm
રથયાત્રામાં યુવક બેભાન થતા સારવાર માટે લઈ જવાયો
અમદાવાદની રથયાત્રામાં દરિયાપુર પ્રેમ દરવાજા પાસે યુવક બેભાન થયો હતો. યુવક બેભાન થતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. રથયાત્રામાં એમ્બ્યુલન્સ માટે જગ્યા કરીને જવા દેવાઈ છે.
Jun 27, 2025 05:41 pm
ભજન મંડળીઓ પ્રેમ દરવાજાથી આગળ વધી
અમદાવાદની રથયાત્રામાં ભજન મંડળી પ્રેમ દરવાજાથી આગળ વધી રહી છે. રથ એક કલાક મોડા ચાલી રહ્યાં છે.
Jun 27, 2025 05:07 pm
ભજન મંડળી કાલુપુર ચાર રસ્તા પહોંચી
અમદાવાદમાં રથયાત્રાનું નિજ મંદિર તરફ પ્રસ્થાન થયું છે. ભજન મંડળી કાલુપુર ચાર રસ્તા પહોંચી છે. ભગવાનના રથ કાલુપુરથી રવાના થયાં છે. ગજરાજ શાહપુર દરવાજાથી આગળ પહોંચ્યા છે. ટ્રક પ્રેમ દરવાજાથી રવાના થયાં છે.
Jun 27, 2025 04:57 pm
આગવી કોઠાસૂઝથી સિદ્ધિ મેળવનાર ખેડૂતોને પ્રોત્સાહિત કરાશે
રાજયમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે. આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત એક લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે એમ ખેતી નિયામાકની યાદીમાં જણાવાયું છે.
Jun 27, 2025 04:48 pm
દરીયાપુર વિસ્તારમાંથી શાંતિપૂર્વક રીતે રથયાત્રા પસાર થઈ રહી છે
અમદાવાદની રથયાત્રા દરિયાપુર વિસ્તારમાંથી શાંતિપૂર્વક રીતે આગળ વધી રહી છે. અખાડા પ્રેમ દરવાજાથી આગળ નીકળી રહ્યાં છે. પ્રેમ દરવાજામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે.
Jun 27, 2025 04:46 pm
ધોળકા શહેરમાં 74મી ભવ્ય રથયાત્રા નીકળી
અમદાવાદના ધોળકામાં 74મી ભવ્ય રથયાત્રા નીકળી છે. બીજી બાજુ કેલિયા વાસાણા ગામેથી ચોથી રથયાત્રા ત્રણ રથ સાથે નીકળી છે.
Jun 27, 2025 04:44 pm
વડોદરામાં ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા
વડોદરામાં ભગવાન જગન્નાથની 44મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. રેલવે સ્ટેશન ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરાયો છે. પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી છે. ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે.
Jun 27, 2025 04:22 pm
અમદાવાદમાં રથયાત્રામાં કોમી એખલાસના દ્રશ્યો
અમદાવાદની રથયાત્રામાં દરિયાપુરમાં કોમી એકલાસના દ્રશ્યો જોવા મળ્યા છે.મુસ્લિમ ભાઈઓએ સેતુ બની પ્રસાદનું કર્યું વિતરણ કર્યું છે. ચોકમાં સવાર યુવકો દ્વારા મગ જાંબુ ચોકલેટ પેપ્સીકોલા પીળા ની બોટલ સહિત નો પ્રસાદ ઉછાળવામાં આવી રહ્યો છે. જે પ્રસાદ હિન્દુ મુસ્લિમ તમામ લોકો ઝીલી ધન્યતા અનુભવી રહ્યા છે
Jun 27, 2025 04:20 pm
અખાડા કાલુપુર સર્કલ પહોંચ્યા
અખાડા કાલુપુર સર્કલ પહોંચ્યા છે. અખાડાના કરતબબાજો દ્વારા થતા કરતબથી લોકો મંત્રમુગ્ધ થયાં છે. ટ્રેક્ટર અને પેડલ રિક્ષામાં કરતબનું આકર્ષણ કેન્દ્ર છે.
Jun 27, 2025 04:18 pm
ભગવાન જગન્નાથની રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી
ભગવાન જગન્નાથની રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી છે. ભગવાનના રથ કાલુપુર પહોંચ્યા છે. ગજરાજ દિલ્હી ચકલા પહોંચ્યા છે.
Jun 27, 2025 04:09 pm
ત્રણેય રથ મોસાળ સરસપુરથી રવાના થયા
ભગવાનના ત્રણેય રથ મોસાળ સરસપુરથી રવાના થયા છે. પ્રેમ દરવાજાથી દરીયાપુર વિસ્તારમાં થઈને રથયાત્રા આગળ વધી છે. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ દરીયાપુર વિસ્તારમાં રથયાત્રા માર્ગ ઉપર ચાલતા નજરે પડ્યા છે.
Jun 27, 2025 03:53 pm
અમદાવાદમાં રથયાત્રામાંથી 2 ગજરાજનું રેસ્ક્યુ
અમદાવાદમાં રથયાત્રામાંથી બે ગજરાજનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બંને ગજરાજોને રેસ્ક્યૂ કરીને મંદિર તરફ લઈ જવાયા છે. અન્ય એક ગજરાજ ગાંધી રોડ પર હોવાથી રોડ બ્લોક કરાયો છે. મહાવત, ફોરેસ્ટ સહિત દ્વારા રેસ્ક્યુ કરવા કવાયત હાથ ધરાઈ છે.
Jun 27, 2025 03:47 pm
ગજરાજ સાથે રથાયાત્રા દરિયાપુરથી આગળ વધી
અમદાવાદમાં દરિયાપુરથી રથયાત્રામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે. પ્રેમ દરવાજાથી દરીયાપુર વિસ્તારમાં થઈને રથયાત્રા આગળ વધી છે. ગજરાજના કાફલા સાથે દરીયાપુર પોલીસ સ્ટેશનથી રથયાત્રા આગળ વધી છે. જરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ દરીયાપુર વિસ્તારમાં રથયાત્રા માર્ગ ઉપર ચાલતા નજરે પડ્યા છે.

Jun 27, 2025 03:41 pm
ગજરાજ પ્રેમ દરવાજા પહોંચ્યા
ભગવાન જગન્નાથની રથયાત્રા નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહી છે. ભગવાનના રથ હજી સરસપુરમાં છે પણ ગજરાજ સરસપુરથી નિજ મંદિર તરફ રવાના થતાં પ્રેમ દરવાજા પહોંચ્યા છે.
Jun 27, 2025 03:32 pm
ગજરાજ, ટેબ્લો ટ્રક કાલુપુર બ્રિજ પહોંચ્યા
ભગવાન જગન્નાથની રથયાત્રા સરસપુરથી આગળ વધી છે. રથયાત્રા નિજ મંદિર તરફ પ્રસ્થાન કરી રહી છે. રથયાત્રા સરસપુરથી આગળ વધી છે.ગજરાજ, ટેબ્લો ટ્રક કાલુપુર બ્રિજ પહોંચ્યા છે.
Jun 27, 2025 03:06 pm
રથયાત્રા સરસપુરથી આગળ વધી
અમદાવાદનું સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ છે. જ્યાં ભાણેજ તરીકે ભગવાન વાજતે ગાજતે મામાના ઘરે પહોંચ્યા છે. ભગવાનનું મામેરૂ ભરાયું છે. ભગવાનના રથ પર જળાભિષેક કરાયો છે. સ્થાનિકો દ્વારા ભગવાન પર જળાભિષેક કરાયો છે. ત્યાર બાદ ભગવાનની રથયાત્રા સરસપુરથી આગળ વધી હતી.
Jun 27, 2025 03:04 pm
વાજતે ગાજતે મામાના ઘરે પહોંચ્યા ભાણેજ
અમદાવાદનું સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ છે. જ્યાં ભાણેજ તરીકે ભગવાન વાજતે ગાજતે મામાના ઘરે પહોંચ્યા છે. ભગવાનનું મામેરૂ ભરાયું છે. ભગવાનના રથ પર જળાભિષેક કરાયો છે. સ્થાનિકો દ્વારા ભગવાન પર જળાભિષેક કરાયો છે.
Jun 27, 2025 02:52 pm
Jun 27, 2025 02:19 pm
સુરેન્દ્રનગરના વઢવાણમાં આધેડનું હાર્ટ એટેકથી મોત
ચાલીને જતા વૃદ્ધને એકાએક ચક્કર આવ્યા હતા, વઢવાણ-ધોળીપોળ રોડ પર કસબાશેરી પાસેની ઘટના, હાર્ટ એટેકની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, આધેડ સગાના ઘરે મહેમાન બની આવ્યા હતા.
Jun 27, 2025 02:11 pm
ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ફસાયેલાનું રેસ્ક્યુ
80 પશુ સાથે બે માલધારી ફસાયા હતા, ખેડબ્રહ્મા ફાયર વિભાગે તમામનું કર્યું રેસ્ક્યુ, 4 ઇંચ વરસાદથી હરણાવમાં આવ્યું છે ઘોડાપૂર.
Jun 27, 2025 01:54 pm
વડોદરાના કરજણમાં રોડ ઉપર ભૂવા
સાપા-ચોરભુજા ગામને જોડતા રોડ પર ભૂવા, નાળાની બંન્ને સાઈડો બેસી જતા ગ્રામજનોમાં રોષ, માટી પુરાણ પર ડામર કામ કર્યાનો આક્ષેપ, નાળાની સાઈડ બેસી જતા અવરવજર મુશ્કેલ.
Jun 27, 2025 01:50 pm
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા
સરસપુરમાં લોકોએ પ્રસાદીનો લીધો લ્હાવો, સરસપુરની પોળમાં ભંડારાનું આયોજન, રથયાત્રામાં આવતા ભક્તો માટે આયોજન, જય જગન્નાથના નાદ સાથે આરોગ્યુ ભોજન.
Jun 27, 2025 01:26 pm
ભગવાનના રથ કાલુપુર સર્કલ પહોંચ્યા
ભગવાનનું કાલુપુરમાં કરાયુ સ્વાગત, જગન્નાથજીની રથયાત્રા કાલુપુર પહોંચી
Jun 27, 2025 01:07 pm
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા
સરસપુરમાં લોકોએ પ્રસાદીનો લીધો લ્હાવો, સરસપુરની પોળમાં ભંડારાનું આયોજન, રથયાત્રામાં આવતા ભક્તો માટે આયોજન, જય જગન્નાથના નાદ સાથે આરોગ્યુ ભોજન
Jun 27, 2025 01:06 pm
વડોદરાના કરજણમાં રોડ ઉપર ભૂવા
સાપા-ચોરભુજા ગામને જોડતા રોડ પર ભૂવા, નાળાની બંન્ને સાઈડો બેસી જતા ગ્રામજનોમાં રોષ, માટી પુરાણ પર ડામર કામ કર્યાનો આક્ષેપ, નાળાની સાઈડ બેસી જતા અવરવજર મુશ્કેલ
Jun 27, 2025 12:56 pm
દેવભૂમિ દ્વારકામાં આખલાનો આતંક
ભદ્રકાળી ચોક પાસે આખલા યુદ્ધ, જાહેર રોડ પર આખલાનો આતંક, આખલાઓ બાખડતા લોકોમાં નાસભાગ મચી.
Jun 27, 2025 12:46 pm
અમદાવાદની રથયાત્રામાં નોંધણી સિવાયનું ડ્રોન ઝડપાયું
જગન્નાથ મંદિર પાસે એક ડ્રોન જે પોલીસની નોંધણી સિવાયનું હતું એટલે કે ખાનગી ડ્રોન ઉડતું હતું તે ડિટેક્ટ થયું હતું તેને તોડી પાડવા અથવા તો પકડવામાં આવે તે પહેલા પાછું જતું રહ્યું હતુ.
Jun 27, 2025 12:34 pm
પાલનપુરમાં નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા
મોટા રામજી મંદિર ખાતેથી નીકળી રથયાત્રા, ઓપરેશન સિંદૂરની થીમ પર રથયાત્રા, 18 કિલોમીટરના રૂટ પર રથયાત્રાની પરિક્રમા, 1,200 કિલો મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ વહેંચાયો, હજારોની સંખ્યામાં ભક્તોએ કર્યા જગન્નાથના દર્શન.
Jun 27, 2025 12:22 pm
વાજતે ગાજતે ટેમ્લો ,અખાડા પહોંચ્યા સરસપુર
વિવિધ કરતબો સાથે અખાડા સરસપુર પહોંચ્યા, વિવિધ ઝાંખીઓના ટ્રક પહોંચ્યા સરસપુર.
Jun 27, 2025 12:05 pm
અમદાવાદના દેત્રોજમાં નીકળી રથયાત્રા
જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા, રથયાત્રાનું પોલીસ સ્ટેશને સ્વાગત કરાયું.
Jun 27, 2025 11:56 am
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા રથયાત્રામાં જોડાયા
ખાડિયામાં રથયાત્રાના સ્વાગત માટે પહોંચ્યા, એક્તા કમિટીના સભ્યો રથયાત્રાનું સ્વાગત કરશે, કોમી એક્તાની ભાવનાથી રથયાત્રાની ઉજવણી, શાંતિથી પ્રસંગોની ઉજવણી કરાય છેઃ ખેડાવાલા, મુસ્લીમ સમાજ પણ રથયાત્રામાં સેવામાં જોડાયા.
Jun 27, 2025 11:50 am
રથનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસે સ્વાગત કરાયું
ભગવાન જગન્નાથનો રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચતા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Jun 27, 2025 11:41 am
ઓડ્ડીસાના પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા
રથયાત્રામાં ભાગદોડ મચતા બે લોકો ઘાયલ, ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા, એક મહિલા અને એક પુરુષ ઇજાગ્રસ્ત.
Jun 27, 2025 11:38 am
કચ્છના અબડાસા તેરા-નેત્રા માર્ગ થયો બંધ
લાખણીયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા, પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પાણીમાં ધોવાયો, દર ચોમાસે નદીના પાણી આ માર્ગ પર ફરી વળે છે, ચોમાસામાં મહત્વનો ધોરી માર્ગ થઈ જાય છે બંધ.
Jun 27, 2025 11:12 am
ભાવનગર શહેરમાં રથયાત્રા વચ્ચે વરસાદ
સરદારનગર, ઘોઘા સર્કલ વિસ્તારમાં વરસાદ, રૂપાણી સર્કલ, આતાભાઈ ચોકમાં વરસાદ, વરસતા વરસાદમાં ભક્તોએ કર્યા ભગવાનના દર્શન.
Jun 27, 2025 11:05 am
હાથી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા
પ્રેમ દરવાજાથી કાલુપુર અને કાલુપુર માર્કેટમાં જતો રસ્તો બંધ કરાયો, ટ્રકો પાંચકુવા ખાતે પહોંચી, એક એમ્બ્યુલન્સને ડાયવર્ટ કરાઈ.
Jun 27, 2025 11:02 am
ગજરાજ કાલુપુર સર્કલે પહોંચ્યા
વાજતે ગાજતે ટેબ્લો અને ગજરાજ પહોંચ્યા કાલુપુર, રથયાત્રા ધીમે ધીમે વધી રહી છે આગળ.
Jun 27, 2025 10:42 am
કચ્છ ઝોનમાં ૨૩.૭ ટકા સરેરાશ વરસાદ નોધાયો
આ ઉપરાંત ૪૦ તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને ૧૩૩ તાલુકાઓમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોધાયો હોવાના અહેવાલો છે. રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૨૯.૧૩ ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૧.૨૦ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૦ ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૩૦.૯૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૦.૩૬ ટકા અને કચ્છ ઝોનમાં ૨૩.૭ ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.
Jun 27, 2025 10:42 am
૨૧ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો
આ ઉપરાંત ગીર સોમનાથના તલાલા, સુરતના મહુવા તથા જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ખેરગામ, સૂત્રાપાડા, ચીખલી, ઈડર, ખેડબ્રહ્મા અને વડગામ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ નવ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ તેમજ કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ વાડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામ જોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધીકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળી કુલ ૨૧ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
Jun 27, 2025 10:42 am
Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં વરસાદી માહોલ સાથે ચોમાસાની મોસમ જામી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૧૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા.૨૭ જૂનના રોજ સવારે ૬.૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં ૬ ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
Jun 27, 2025 10:33 am
ભિલોડા-શામળાજી હાઇવે પર ડાયવર્ઝન ધોવાયો
ડાયવર્ઝન ધોવાતા મોટા વાહનો માટે હાઇવે બંધ, જેસીંગપુર ગામ પાસેનો ડાયવર્ઝન તૂટતા હાઇવે બંધ, વરસાદી પાણી આવતા ટ્રક ડાયવર્ઝનમાં પલટ્યો, ભિલોડાથી શામળાજી વચ્ચે વાહન વ્યવહાર અટવાયો.
Jun 27, 2025 09:48 am
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા
AMC ખાતે મહંત દિલીપદાસજીનું સ્વાગત સાથે સન્માન, મેયર સહિત પદાધિકારીઓએ કર્યુ સ્વાગત.
Jun 27, 2025 09:45 am
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા
ખાડિયા પહોંચ્યા ગજરાજ અને ટેબ્લો, ભગવાનના દર્શન માટે ઠેર-ઠેર જનમેદની, ભગવાનનું પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું
જય રણછોડ, માખણચોરનો નાદ ગૂંજ્યો, અલગ અલગ ટેબ્લો બન્યા આકર્ષણનું કેન્દ્ર.
Jun 27, 2025 09:40 am
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા
ગુજરાતની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં, ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન, સુભાષનગર ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયુ, ભગવાનના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ.
Jun 27, 2025 09:35 am
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા
યજમાન પરિવાર પહોંચ્યો રણછોડરાય મંદિરે, શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનના મામેરાનું પૂજન, યજમાન દ્વારા લવાયલ ભેટ-સોગાદોનું પૂજન.
Jun 27, 2025 09:30 am
સરસપુર મંદિરમાં ભગવાનને ચઢાવાશે સખડીનો ભોગ
વાજતે ગાજતે ભાણેજોને ચઢાવાશે સખડીનો ભોગ, વૈષ્ણવ સમાજ પરંપરાગત રીતે ચઢાવે છે સખડીનો ભોગ, વાજતે ગાજતે લડડું ગોપાલને માથે રાખી કાઢી શોભાયાત્રા, શોભાયાત્રા સાથે સખડીનો ભોગ મંદિરમાં લઇ લવાયો.
Jun 27, 2025 09:22 am
ભગવાન જગન્નાથની રથયાત્રાના અનેક રંગ
અખાડાઓ દ્વારા વિવિધ કરતબો, બાળકો પણ દર્શાવી રહ્યાં છે કરતબ.
Jun 27, 2025 09:21 am
રથયાત્રા જમાલપુર નજીક પહોંચી
જમાલપુર વૈશ્ય સભા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું સ્વાગત કર્યું.
Jun 27, 2025 09:15 am
રાજકોટમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા
ભગવાન ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ, નાના મવા ખોડિયાર મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન, શહેરના વિવિધ માર્ગો પર રથયાત્રાનું ભ્રમણ, રથયાત્રાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા.
Jun 27, 2025 09:11 am
ભગવાન જગન્નાથજી દરિદ્રનારાયણ છે
મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે ભગવાન જગન્નાથજી દરિદ્રનારાયણ છે અને શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથજી સૌને ખૂબ શક્તિ આપે, તેવી પ્રાર્થના પણ ભગવાન સમક્ષ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
Jun 27, 2025 09:10 am
સરકારના મંત્રીઓ પણ રહ્યાં પહિંદ વિધિમાં હાજર
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિભાબેન જૈન પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું.
Jun 27, 2025 09:05 am
ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત પહિંદ વિધિ કરી
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.
Jun 27, 2025 08:58 am
અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું.
Jun 27, 2025 08:43 am
રથયાત્રામાં ભકતોનો અનોરો ઉત્સાહ દેખાયો
ટ્રકો કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા અને અખાડા ધીમેધીમે આગળ વધી રહ્યાં છે.
Jun 27, 2025 08:39 am
વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોની થીમ પરનો ટ્રક દેખાયો
રથયાત્રામાં એક ટ્રક એવો પણ જોવા મળ્યો છે જેમાં વૃક્ષો વાવવાનો સંદેશો આપતો જોવા મળ્યો છે, શહેરીજનો પોતાનું શહેર સ્વચ્છ રાખે તે હેતુસર ટ્રકની થીમ જોવા મળી હતી.
Jun 27, 2025 07:58 am
મગનો પ્રસાદ લેવા ભકતોમાં પડાપડી
મગનો પ્રસાદ અને જાંબુનો પ્રસાદ એ રથયાત્રામાં આગવું મહત્વ ધરાવે છે, ભકતો ખાસ કરીને મગનો પ્રસાદ અને જાંબુનો પ્રસાદ લેવા માટે પડાપડી કરી રહ્યાં છે, તો ટ્રકમાંથી ભકતોને પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
Jun 27, 2025 07:55 am
હાથી ખમાસા ચાર રસ્તાથી આગળ નીકળ્યા
ભગવાન જગન્નાથની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. હાથી ખમાસા ચાર રસ્તા ખાતેથી આગળ નીકળ્યા છે, ભકતોમાં પણ ભારે ઉત્સાહ છે, ટ્રકો પણ જમાલપુર દરવાજાથી આગળ વધી રહ્યાં છે, પોલીસની ટીમ દ્વારા ટ્રકોને ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યાં છે. રથયાત્રામાં 30 અખાડા પણ છે.
Jun 27, 2025 07:50 am
ભગવાન રાફેલમાં સવાર થતા હોય તેવી થીમ રથયાત્રામાં જોવા મળી
સેટેલાઈટમાં રહેતા મીનાક્ષી રાજપારધી નામના મહિલા ઓપરેશન સિંદૂરની થીમ પર ભગવાનને રાફેલમાં સવાર થતા હોય તેવી વેશભૂષા સાથે રથયાત્રામાં આવ્યા છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઓપરેશન સિંદૂરનો ટેબ્લો જોવા મળ્યો છે, સેનાના પરાક્રમને રથયાત્રામાં બિરદાવાયું છે.

Jun 27, 2025 07:46 am
ઓપરેશન સિંદૂરની થીમથી ટ્રકનો શણગાર રથયાત્રામાં જોવા મળ્યો
રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમનો શણગાર જોવા મળ્યો છે, અલગ થીમનો શણગાર જોવા મળતા ભકતોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે, રોડ પર જણ રણછોડ અને ભારત માતા કી જયના નારા લાગ્યા છે.
Jun 27, 2025 07:40 am
મુખ્યમંત્રીએ ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું
મુખ્યમંત્રીએ ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું અને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથ શક્તિ આપે તેવી પ્રાર્થના, ભગવાનના દર્શન માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે, ભક્તજનોને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ખૂબ સારી રીતે રથયાત્રા પૂર્ણ થાય તેવી વ્યવસ્થા છે, કચ્છી નવા વર્ષની પણ CMએ પાઠવી શુભેચ્છા અને ભગવાન સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરાઈ છે. 
Jun 27, 2025 07:40 am
Ahmedabad Rathyatra 2025 : વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથ શક્તિ આપેઃ CM
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા રંગે ચંગે નીકળી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થયો છે, ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું અને સીએમ ભુપેન્દ્ર પટેલે રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે, સોનાની સાવરણીથી ભગવાનના રથની સફાઇ કરવામાં આવી હતી.
Jun 27, 2025 07:06 am
શું હોય છે પહિંદ વિધિ ?
રથયાત્રામાં પહિંદ વિધિનું ખૂબ મહત્ત્વ રહેલું છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જ પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ઓડિશાના પુરીમાં નીકળતી રથયાત્રામાં આ વિધિને છેરા પહેલા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરવામાં આવી હતી.

Jun 27, 2025 07:06 am
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્ય પ્રધાને જગન્નાથ મંદિરમાં ઉતારી હતી આરતી
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથી 148મી રથયાત્રા નીકળી છે, તેને લઈને તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી હતી. લોકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર અને ફાયર વિભાગની ટીમ સતત ખડેપગે છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં આરતી ઉતારી અને ભગવાનના આર્શીવાદ લીધા હતા.
Jun 27, 2025 07:06 am
Ahmedabad Rathyatra 2025 : CM Bhupendra Patelએ પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો
રથયાત્રાના દિવસે જગતના નાથ નગરચર્ચાએ નીકળ્યા તે પહેલા રાજયના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રા તેના રૂટ પર નીકળી હતી.
Jun 27, 2025 06:43 am
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર શાહે પરિવાર સાથે કર્યા જગન્નાથ મંદિરમાં દર્શન
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર શાહ દર વર્ષે આવે છે નાથના દર્શન કરવા.
Jun 27, 2025 06:00 am
ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરી દેવાયા
ભગવાન જગન્નાથ બાદ ભાઈ બલરામને તાલધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. તો બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરી દેવાયા છે. જમાલપુર જગન્નાથ મંદિરે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરવા માટે લોકોની ભીડ જામી છે, પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
Jun 27, 2025 06:00 am
Ahmedabad Rathyatra 2025 : ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થયા
સૌપ્રથમ ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બેસાડવામાં આવ્યા છે, ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે. પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ જગતના નાથ નગરચર્ચાએ નીકળશે.
Jun 27, 2025 05:24 am
ભરૂચ એ ડિવિઝન પોલીસે નોંધી ફરિયાદ
ગીર સોમનાથના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલાં 430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ ગ્રામ વિકાસ એજન્સીના પ્રાયોજના અધિકારી ( હિસાબ)એ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
Jun 27, 2025 05:23 am
મનરેગા કૌંભાડમાં કોંગ્રેસ નેતાની ધરપકડ કરાઈ
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે, મોડી રાત્રીએ હીરા જોટવાને ભરૂચ લવાયા, છે અને પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી છે, ભરૂચ એ ડિવિઝન ખાતે હીરા જોટવાની કરાઈ પૂછપરછ અને ભરૂચ પોલીસે ગીર સોમનાથથી કરી હતી અટકાયત, હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર હિરેન ટેલરની પણ કૌંભાડમાં પૂછપરછ કરવામાં આવી છે, ભરૂચ જીલ્લાના 58 ગામોમાં 7.50 કરોડનું મનરેગા કૌભાંડમાં ગેરરીતિની નોંધાઈ છે ફરિયાદ.
Jun 27, 2025 05:23 am
Bharuchમાં મનરેગા કૌંભાડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની ધરપકડ કરાઈ, આચર્યુ કરોડોનું કૌંભાડ
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે, કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે, ભરુચ એ ડિવિઝને હીરા જોટવાની કરી પૂછપરછ અને હાંસોટ તા.પં.ના ઓપરેટર હિરેન ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે, ભરૂચના 58 ગામોમાં 7.50 કરોડનું મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું છે.
Jun 27, 2025 05:13 am
મોસાળ સરસપુરમાં લોકોમાં ઉત્સાહ
સરસપુર રણછોડરાય મંદિરમાં વિશેષ પૂજા, આજે રણછોડરાયને કરાયો વિશેષ શૃંગાર, હીરા, મોતી જડિત આભૂષણોમાં પહેરાયા
રણછોડરાય મંદિરમાં કરવામાં આવી વિશેષ આરતી.
Jun 27, 2025 05:02 am
ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ
ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી છે. નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.
Jun 27, 2025 05:00 am
દેશમાં હાલ ચાર મઠમાં ચાર જગદગુરૂ શંકરાચાર્ય છે
દેશમાં હાલ ઓડિસામાં ગોવર્ધન મઠ, ગુજરાતના દ્વારકામાં શારદા મઠ, ઉત્તરાખંડમાં જ્યોતિર્મઠ અને રામેશ્વરમમાં શ્રુંગેરી મઠમાં ચાર શંકરાચાર્યો છે. આ સિવાય કાંચીપુરમમાં કાંચી મઠ એક હિંદુ મઠ છે. જે પાંચ પંચભૂત સ્થળોમાંથી એક છે. અહીંના મઠાધિશ્વરને શંકરાચાર્ય કહેવામાં આવે છે. આ મઠને પણ આદિ ગુરુ શંકરાચાર્યએ સ્થાપિત કર્યો હતો. આજે આ મઠ દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે.
Jun 27, 2025 05:00 am
આ રીતે મળે છે જગદગુરૂ શંકરાચાર્યની પદવી
શંકરાચાર્યનું પદ મેળવનાર વ્યક્તિ ત્યાગી, દંડી સંન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી હોવો જોઈએ. આ વ્યક્તિને પુરાણ, ચાર વેદ, છ વેદાંગનું જ્ઞાન હોવુ જરૂરી છે. આ વ્યક્તિ પોતાના જીવનમા મુંડન, પિંડદાન અને રૂદ્રાક્ષ ધારણ કરે તે મહત્વનું છે. જે વ્યક્તિને શંકરાચાર્ય બનાવવામાં આવે છે તેમને અખાડાના પ્રમુખો, આચાર્ય મહામંડલેશ્વર, પ્રતિષ્ઠિત સંતોની સભાની સંમતિ સાથે કાશી વિદ્વત પરિષદની સ્વીકૃતિ મળવી પણ જરૂરી છે. ત્યાર બાદ જ જગદગુરૂ શંકરાચાર્યની પદવી મળી શકે છે.
Jun 27, 2025 05:00 am
કોણે કરી હતી જગદગુરૂ શંકરાચાર્ય પદની સ્થાપના
ભારત દેશમાં ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આદિ ગુરુ શંકરાચાર્યએ સનાતન ધર્મની સ્થાપના માટે ચાર મઠો સ્થાપી શંકરાચાર્ય પદની સ્થાપના કરી હતી. તેમણે પોતાના ચાર શિષ્યોને દેશની ચાર દિશાઓમાં સ્થાપિત કરવામાં આવેલા મઠોની જવાબદારી સોંપી હતી. આ મઠોના પ્રમુખને શંકરાચાર્ય કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં શંકરાચાર્યને સર્વોત્તમ માનવામાં આવે છે. આ ચારેય મઠમાં ગુરુ પોતાના શિષ્યને સનાતન ધર્મની શિક્ષા અને જ્ઞાન આપે છે.
Jun 27, 2025 04:59 am
Ahmedabad Rathyatra 2025 : દિલીપ દાસને જગતપતિ જગદગુરુની પદવી અપાઈ
દિલીપ દાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી અપાઈ છે, જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપ દરજી મહારાજને આજે અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે તમામ સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી આપવામાં આવી છે. મહંત દિલીપ દાસજી હવે મહામંડલેશ્વરની જગ્યાએ જગતગુરુ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે.
Jun 27, 2025 04:48 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમાલપુર જગન્નાથ મંદિરથી રવાના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમાલપુર જગન્નાથ મંદિરથી રવાના થઈ ચૂક્યા છે. થોડીવારમાં ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે.
Jun 27, 2025 04:37 am
અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈ પોલીસ એલર્ટ
પોલીસે ઓન વ્હીલ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો, જમાલપુર દરવાજા પાસે તૈયાર કરાયો કંટ્રોલરૂમ, રથયાત્રાના રૂટ પર ડ્રોન, CCTVથી રખાશે નજર, AI ટેકનોલોજીથી હાજર લોકોની માહિતી મળશે, AI ટેકનોલોજીથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં મદદ મળશે, ટેકનોલોજી સાથે પોલીસ કરી રહી છે સુરક્ષા વ્યવસ્થા, મંદિરના દરવાજા પર પિનાક સોફ્ટવેર સાથેના CCTV.
Jun 27, 2025 04:37 am
નાથની નગરચર્યાને લઇને શહેરીજનો ઉત્સાહમાં
નંદિધોષ રથમાં ભગવાન નગરચર્યાને નીકળશે, ભગવાનને વિશેષ સોનાનો શણગાર કરાયો, સોનાના આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યો, ભગવાનને ખીચડીનો ભોગ ધરાશે અને ભગવાનને "ઓષધ ભોજન" તરીકે ખીચડીનો ભોગ ધરાવાય છે, ભગવાન પુનઃસ્વસ્થ થઇ શકે તે માટે ખીચડીનો ભોગ ધરાવાની માનતા છે, ખીચડાનો પ્રસાદ ભક્તોને પ્રસાદ તરીકે અપાશે.
Jun 27, 2025 04:35 am
રથયાત્રામાં ભજન મંડળીઓ પણ જોડાશે
આ રથયાત્રામાં 18 ભજન મંડળી, 2500થી વધુ સાધુ સંતો પણ જોડાશે, 1200 ખલાસીઓ ભગવાનનો રથ ખેંચશે જેમાં
પ્રસાદમાં 3000 કિલો મગ, 500 કિલો જાંબુ રખાશે, 500 કિલો કેરી અને 400 કિલો કાકડી દાડમ રખાશે, 2 લાખથી વધુ ભક્તોને પ્રસાદ આપવામાં આવશે.
Jun 27, 2025 04:35 am
Ahmedabad Rathyatra 2025 : રથયાત્રાને લઇ ભક્તજનોમાં અનેરો ઉત્સાહ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ટૂંક સમયમમાં નીકળશે અને રથયાત્રાને લઇ ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વાજતે-ગાજતે નીકળશે ભગવાનની રથયાત્રા, આ રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા રથયાત્રામાં જોડાશે અને અખાડાઓ પોતાના અલગ-અલગ કરતબ રજૂ કરશે.
Jun 27, 2025 04:19 am
અમિત શાહે જગન્નાથ મંદિરમાં પરિવાર સાથે કરી આરતી
છેલ્લા કેટલાય વર્ષોથી અમિત શાહ રથયાત્રાના દિવસે ગુજરાત આવે છે. તે મુજબ પ્રતિવર્ષ માફક આ વર્ષે પણ રથયાત્રા પૂર્વે યોજાનાર 148મી રથયાત્રા નિમિત્તે જગન્નાથ મંદિર ખાતે અમદાવાદમાં મંગળા આરતી કરીને પરિવાર સાથે દર્શન પૂજન કર્યા. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં આવેલા ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર ઇન્ફોસિટી ખાતેની લાઇબ્રેરીની મુલાકાત યોજવાના છે.
Jun 27, 2025 04:19 am
Ahmedabad Rathyatra 2025 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર મંગળા આરતીના કર્યા દર્શન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. જેમાં રથયાત્રાના દિવસો તેઓ જગન્નાથ મંદિરમાં સવારે પરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. સાથે જ તેઓ આ 2 દિવસ વિકાસના કામોનું પણ લોકાર્પણ કરવાના છે.
Jun 27, 2025 04:00 am
આ પ્રસાદમાં અનેક પ્રકારના ચોખા, કઠોળ, શાકભાજી અને મીઠાઈઓનો સમાવેશ થાય છે
આ પ્રસાદમાં અનેક પ્રકારના ચોખા, કઠોળ, શાકભાજી અને મીઠાઈઓનો સમાવેશ થાય છે. પ્રસાદ માટીના વાસણોમાં રાંધવામાં આવે છે, જે તેની શુદ્ધતા જાળવી રાખે છે. ખાસ વાત એ છે કે આ પ્રસાદ રાંધવામાં ડુંગળી, લસણ કે કોઈપણ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેના કારણે તેનો સ્વાદ સાત્વિક રહે છે.
Jun 27, 2025 03:59 am
ભગવાનનો મહાભોગ કેવી રીતે બનાવવામાં આવે છે?
જગન્નાથ પુરી મંદિરમાં દરરોજ ભગવાનને ભોગ ચઢાવવામાં આવે છે. પરંતુ રથયાત્રા દરમિયાન તેનું વિશેષ મહત્વ છે. તેને મહાભોગ કહેવામાં આવે છે. મંદિર પરિસરમાં બનેલા વિશાળ રસોડામાં મહાભોગ તૈયાર કરવામાં આવે છે. આ રસોડાને ભગવાન માટે વિશ્વનું સૌથી મોટું રસોડું માનવામાં આવે છે. આ રસોડામાં 500 થી વધુ રસોઈયા અને સેંકડો સહાયકો કામ કરે છે. અહીં દરરોજ ભગવાનને 6 પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવે છે.
Jun 27, 2025 03:57 am
અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈ પોલીસ એલર્ટ
પોલીસે ઓન વ્હીલ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો, જમાલપુર દરવાજા પાસે તૈયાર કરાયો કંટ્રોલરૂમ, રથયાત્રાના રૂટ પર ડ્રોન, CCTVથી રખાશે નજર, AI ટેકનોલોજીથી હાજર લોકોની માહિતી મળશે, AI ટેકનોલોજીથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં મદદ મળશે, ટેકનોલોજી સાથે પોલીસ કરી રહી છે સુરક્ષા વ્યવસ્થા, મંદિરના દરવાજા પર પિનાક સોફ્ટવેર સાથેના CCTV.
Jun 27, 2025 03:57 am
1200 ખલાસીઓ સહિત ભક્તો રથયાત્રામાં જોડાશે
મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, આ વખતે અમદાવાદની રથયાત્રામાં 18 ગજરાજો, 30 અખાડા, 18 ભજન મંડળી ભાગ લેશે. તે ઉપરાંત 1200 ખલાસીઓ સહિત ભક્તો રથયાત્રામાં જોડાશે.મંદિર તરફથી 30 હજાર કિલોનો પ્રસાદ વહેંચાશે. રથયાત્રામાં બે લાખ ઉપેરણાં સહિતનો પ્રસાદ રખાશે. હાલમાં ભગવાન તેમના મોસાળ સરસપુર ખાતેના રણછોડરાય મંદિરમાં બિરાજમાન છે. અમાસના દિવસે 25 જૂને ભગવાન નિજ મંદિર પધારશે. અમાસના દિવસે ભગવાનની નેત્રોત્સવ વિધિ થશે.
Jun 27, 2025 03:55 am
કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ
રથયાત્રાની ઉજવણી નિમિત્તે ભક્તોને કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ અપાય છે. કાળી રોટી એટલે કે માલપુઆ. તેને કાળી રોટી એટલે કહેવાય છે કે તે ઘંઉના લોટમાંથી બને છે. અને જ્યારે તે તૈયાર થાય ત્યારે તેનો રંગ સાધારણ કાળો હોય છે. અને ધોળી દાળ એટલે દૂધપાક. ગુજરાતમાં મહેમાનોને આવકારવા ભોજનમાં મીઠાઈમાં દૂધપાક જેવી ખાસ વાનગી બનાવાય છે. રથયાત્રામાં ભાગ લેવા દૂરદૂરથી ભકતો અને સંતો આવતા હોય છે. રથયાત્રામાં ભાગ લેનાર કોઈપણ ભૂખ્યુ ના જાય તેવા ઉદેશ્ય સાથે મંદિર દ્વારા વર્ષો પહેલા આ ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. અને એટલે આજે પણ મંદિરે આવતા લોકો કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ અવશ્ય આરોગે છે. આ સિવાય ભક્તોને ઘરે લઈ જવા માટે માલપુઆ, બૂંદી અને ગાંઠિયાનો પ્રસાદ પણ અપાય છે.
Jun 27, 2025 03:55 am
સંતો અને ભક્તો લેશે આ વિશેષ પ્રસાદ
તારીખ 27ના રોજ શહેરમાં રથયાત્રાની ભવ્ય ઉજવણી થશે. ત્યારે આજે રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં અમાસના ભંડારાનું આયોજ કરાયું છે. જેમાં ઉજ્જૈન, કાશી અને મથુરાથી આવેલા સંતો આ વિશેષ પ્રસાદનો આનંદ માણશે. જગન્નાથ મંદિરમાં દરવર્ષે રથયાત્રાની ઉજવણીમાં ભક્તોને કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવશે. આ ખાસ પ્રસાદ આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આજે જગન્નાથ મંદિરમાં આ વિશેષ પ્રસાદ માટે 2000 કિલો લોટના માલપુવા બનાવવામાં આવ્યા છે. અને 3000 લીટર દૂધપાકનો પ્રસાદ બનાવવામાં આવ્યો આ ઉપરાંત 10,000 લીટર કઢીનો પ્રસાદ પણ તૈયાર કરાયો છે. ભંડારામાં આજે 700 કિલો ચણા અને 1000 કિલો ભાતનો ઉપયોગ કરવામાં આપવામાં આવ્યો.
Jun 27, 2025 03:43 am
અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે
આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે. રથયાત્રામાં 10 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળી ભાગ લેશે. લોકોની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 45 ડ્રોનથી નજર રાખશે. 30 ખાનગી ડ્રોન પણ રૂટ પર બાજ નજર રાખશે. રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રાના રૂટ પર 3,200 CCTV કેમેરાથી સર્વેલન્સ કરાશે. રથયાત્રાના મુખ્ય પોઇન્ટ પર એન્ટી ડ્રોન તૈનાત રહેશે. 3,200 હિસ્ટ્રી શીટરના ડેટા સાથેનો કેમેરા લગાવાશે.
Jun 27, 2025 03:43 am
રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામું અમલમાં રહેશે
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા ૨૬/૬/202૫ ના કલાક 00:00 થી તા.૨૭/૬/૨૦૨૫ ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.
Jun 27, 2025 03:42 am
આ વિસ્તાર નો પાર્કીંગ ઝોનમાં રહેશે
જમાલપુર દરવાજા બહાર જગન્નાય મંદિરથી જમાલપુર ચકલા,વેંરયસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ 32 સહીત) મદનગોપાલની દવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ,ખાડીયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, સાદપુર ચકલા, રંગીલા ચોકી, ઓત્તમ પોળ, આર.સી.દાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, કુવાસ, ચાંદલા ઓળ, સાંકડી રોરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર.
Jun 27, 2025 03:42 am
જગન્નાથ રથના દોરડાને સ્પર્શ કરવાથી શું થાય છે?
જગન્નાથની રથયાત્રા સાતે જોડાયલો દરેક વ્યક્તિ રથના દોરડાને સ્પર્શ કરી શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર રથના દોરડાને સ્પર્શ કરવાથી ભગવાન જગન્નાથના આશિર્વાદ મળે છે. આ સિવાય એવું કહેવામાં આવે છે કે જગન્નાથ રથના દોરડાને સ્પર્શ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ ભક્તિના માર્ગ પર ચાલી શકે છે.
Jun 27, 2025 03:41 am
જગન્નાથના દોરડાને કોણ સ્પર્શ કરી શકે છે?
જગન્નાથ રથના દોરડાને કોઈ પણ વ્યક્તિ સ્પર્શ કરી શકે છે, જે આસ્થા સાથે પૂરી પહોંચે છે. પછી એ કોઈ ધર્મનો હોય, જાતિનો હોય કે પંથનો હોય. ધાર્મિક માન્યતા એ છે કે જે કઈ પણ વ્યક્તિ રથના દોરડાને પકડીને ખેંચે છે તેને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
Jun 27, 2025 03:41 am
રથયાત્રામાં આ દોરડાનું નામ શું છે?
જેવી રીતે ભગવાન જગન્નાથ, બલ ભદ્ર અને સુભદ્રાના આ ત્રણેય રથના નામ અલગ-અલગ હોય છે. તેવી જ રીતે તેને ખેંચવાવાલા દોરડાઓના નામ પણ અલગ અલગ હોય છે. ભગવાન જગન્નાથના 16 પૈડાઓવાળા નંદીઘોષ રથના દોરડાને શંખચુડ અથવા શંખચૂડા નાળી કહેવામાં આવે છે. 14 પૈડાવાળા બલભદ્રનાઆ રથના દોરડાને બાસુકી કહેવામાં આવે છે. વચ્ચે ચાલનારા આ 12 પૈડાવાળા રથના દોરડાને સ્વર્ણચૂડા નાળી કહે છે.
Jun 27, 2025 03:40 am
હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરીની પ્રશંસા કરી હતી
રથયાત્રાના રૂટ પરનાં જર્જરિત મકાનો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, જર્જરિત મકાનોનો સર્વે હાથ ધરીને ૪૮૪ ભયજનક મકાનોને આઇડેન્ટિફાઈ કરીને તમામને સીલ કરવામાં આવ્યાં છે,તેમજ છાપરા-પતરાથી બ્લોક કરવાની કામગીરી એએમસીના સહયોગથી કરવામાં આવી છે. રથયાત્રા દરમિયાન નાનાં બાળકો ખોવાઈ જાય તો તેમને પરિવાર સુધી પહોંચાડવા માટે રથયાત્રાના રૂટ પર ૧૭ જનસહાય કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.ગયા વર્ષે આવાં કેન્દ્રો દ્વારા ૬૫થી વધુ બાળકોને સહી સલામત રીતે તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં, એવું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરીની પ્રશંસા કરી હતી.
Jun 27, 2025 03:40 am
અમદાવાદની રથયાત્રાએ સામાજિક એકતાનું પ્રતીક છે
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ૨૧૩ જેટલી રથયાત્રાઓ યોજવામાં આવે છે. આ રથયાત્રાઓમાં ધાર્મિક સંસ્થાઓ સાથે સંકલન કરીને ગુજરાત પોલીસે સુરક્ષા વ્યવસ્થા કરી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદની રથયાત્રાએ સામાજિક એકતાનું પ્રતીક છે. અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ પોલિસિંગ થકી તમામ સમુદાયો વચ્ચે ભાઈચારો ઘનિષ્ઠ બને એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતની રમતો રમાડવામાં આવી છે. મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાઓ સાથે બેઠક યોજીને શાંતિપૂર્ણ માહોલ માટે મહિલાઓનો સહયોગ મેળવવાનો પ્રયાસ પણ કરાયો છે.
Jun 27, 2025 03:40 am
3D મેપિંગના ગ્રાફિક્સના આધારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાવિક-ભક્તો જગન્નાથજીના દર્શન સરળતાથી કરી શકે અને તેમને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એ માટે આધુનિક ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે. રથયાત્રાની વિશેષ સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, રથયાત્રાના સમગ્ર રૂટનું 3D મેપિંગ કરાવવામાં આવ્યું છે. 3D મેપિંગના ગ્રાફિક્સના આધારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે ૩૫૦૦ સીસીટીવી કેમેરા, ૨૮૭૨ બોડી વોર્મ કેમેરા, ૨૪૦ ટેરેસ પોઇન્ટ, ૨૫ વૉચ ટાવર અને ૨૩,૮૪૪ જેટલા પોલીસ જવાનો દ્વારા અમદાવાદ રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
Jun 27, 2025 03:39 am
અમદાવાદની રથયાત્રામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે
રથયાત્રાના રૂટ નિરીક્ષણ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા એ સૌથી મોટી આસ્થા અને વ્યવસ્થાની પણ યાત્રા છે. દેશમાં પ્રથમ વખત અમદાવાદની રથયાત્રામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ડ્રોન અને એઆઈ ટેક્નોલોજીથી જનમેદની પર નજર રખાશે અને ભાગદોડ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે.
Jun 27, 2025 03:38 am
અમદાવાદમાં નીકળશે 148મી રથયાત્રા
તમને જણાવી દઈએ કે આ વર્ષે અમદાવાદમાં 148મી રથયાત્રા નીકળશે. રથયાત્રામાં પોલીસ સાથે ફાયર વિભાગ પણ AIથી સજ્જ રહેશે. રથયાત્રામાં AI ટેક્નોલોજીનો સૌપ્રથમ વખત ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાના રૂટ પર દુર્ઘટના ન સર્જાય તેને લઈ ફાયર વિભાગે તૈયારી કરી છે. રથયાત્રાના રૂટ પર ફાયરની ટીમો પણ તૈનાત રહેશે. 13 પોઈન્ટ પર દુર્ઘટના બને તો ત્વરિત રિસ્પોન્સ પ્લાન તૈયાર રખાશે. ફાયરના 166 અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે. 23,884 સુરક્ષા કર્મીઓની તૈનાતીમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવશે.
Jun 27, 2025 03:35 am
મહંત દિલીપદાસજીને આજે જગદગુરૂની પદવી અપાશે
આ ઉપરાંત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને આજે જગદગુરૂની પદવી આપવામાં આવશે. શંકરાચાર્ય બાદ બીજા મહંતને જગદગુરૂની પદવી આપવામાં આવશે. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી રથમાં બિરાજીને નગરચર્યાએ નીકળશે. આજે સાંજે સંધ્યા આરતીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જયારે આજે સવારે મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.
Jun 27, 2025 03:34 am
સરસપુરની પોળોમાં શરૂ થયા ભવ્ય રસોડા
અમદાવાદમાં 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. સરસપુરની પોળોમાં ભવ્ય રસોડા શરૂ થયા છે. સંતો મહંતો અને ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો કીલો મોહનથાળ અને ફૂલવાડી બનીને તૈયાર કરવામાં આવી છે, ત્યારે સાથે જ પુરી અને બટાકાનું શાક બનાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. રથયાત્રાના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ લેશે. એક સાથે 1,000થી વધુ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
Jun 27, 2025 03:34 am
અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈ પોલીસ એલર્ટ
અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈ પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર છે. પોલીસે ઓન વ્હીલ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. જમાલપુર દરવાજા પાસે આ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર ડ્રોન, CCTVથી નજર રખાશે, આ સાથે જ AI ટેકનોલોજીથી હાજર લોકોની માહિતી મળશે. AI ટેકનોલોજીથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં મદદ મળશે. ટેકનોલોજી સાથે પોલીસ સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે. મંદિરના દરવાજા પર પિનાક સોફ્ટવેર સાથેના CCTV ગોઠવવામાં આવ્યા છે. ગુનાહિત ભૂતકાળ સાથે આરોપીઓની માહિતી સાથે નજર રખાશે. ગુનાહિત વ્યક્તિના મંદિર પ્રવેશ પર પોલીસની બાજ નજર રહેશે.
Jun 27, 2025 03:33 am
વડાપ્રધાન મોદીએ જગન્નાથ મંદિરમાં મોકલ્યો પ્રસાદ
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે અને આ વર્ષે પણ વડાપ્રધાને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન માટે પ્રસાદ મોકલ્યો છે. ડ્રાયફ્રૂટ, ફ્રૂટ, મગ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલ્યો છે. પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં આવ્યા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે વડાપ્રધાન તરફથી જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલવામાં આવે છે. અષાઢી બીજના દિવસે એટલે કે 27 જૂને વહેલી સવારે 6 વાગ્યે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં ભજન મંડળી, હાથી અને ટ્રકોનો જમાવડો જોવા મળશે.
Jun 27, 2025 03:32 am
ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું
રથયાત્રા પહેલા ભગવાન જે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે તેવા ત્રણેય રથનું આજે પૂજન કરવામાં આવ્યું હતું. પંરપરાગત રીતે રથયાત્રા પહેલા ગજરાજ અને રથની પૂજન વિધિ કરવામાં આવે છે. ત્યારે આજે ભગવાનની શાહી સવારી એવા રથને પંરપરાગત રીતે મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા.
Jun 27, 2025 03:31 am
18 ગજરાજો રથયાત્રાની શોભા વધારશે
આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજો, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં પધારશે.
Jun 27, 2025 03:30 am
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળશે
રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે દિવસનો પ્રારંભ થશે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પરિવાર સહિત ઉપસ્થિત રહેશે.

Vadodara: દામાપુરા ખાતે સીએસઆર અંતર્ગત ફાર્મસન કૉમ્યુનિટી હોલનું લોકાર્પણ

Chhotaudepur: પાવી ગામ પાસે ધોરીમાર્ગ ઉપર તોતિંગ વૃક્ષની ડાળી તૂટતા ટ્રાફિકજામ

Mahisagar: કર્મચારીઓની અનિયમિતતાથી જનતા અને અરજદારો પરેશાન

Godhra: ગોધરામાં સ્વચ્છતા ઝુંબેશનો ફિયાસ્કો કરતું પાલિકાનું કચરો લઈ જતું ડમ્પર

Mahisagar: ખેડાપા ગામે નવી સરકારી શાળાની મંજૂરી રદ કરવા અંગે ઠરાવ કરાયો

લોકોની સારવાર માટે પાછી ફરે છે ગ્રામ ચિકિત્સાલય સીઝન 2

નેહા કક્કડે પોતાના 38મા જન્મદિવસની ઉજવણી કરી

કંગના રનૌત : બોક્સઓફિસ ક્વીનનું વિધાતા ફરી ભાગ્ય ચમકાવશે!

મોહ, પ્રેમ, વળગણ, વળગાડ અને દોજખથી ભરપૂર ફિલ્મ એટલે : ઓબ્સેશન (2025)

પ્રિયંકાએ મર્લિન મુનરોને તેમના જન્મદિવસે યાદ કરી

Vadodara: દામાપુરા ખાતે સીએસઆર અંતર્ગત ફાર્મસન કૉમ્યુનિટી હોલનું લોકાર્પણ