જામનગર મહાનગરપાલિકા હસ્તકના ઢોરના ડબ્બાઓ ખાતે રહેલી ગાયો અને ખુંટીયાઓની સાર સંભાળના સ્થાનની સફાઈમાં અભાવ, ડોક્ટરોની ગેરહાજરી અને પશુધનની સાંચવણમાં તંત્રની બેદરકારીને કારણે દૈનિક 8 થી 10 ગૌ-વંશ પશુઓના મૃત્યુની ફરિયાદ લાંબા સમયથી ઉભી છે. તા.ર જુલાઈના રોજ વ્યાપક ધરણા છતાં સ્થિતિ સુધરી નથી. કાદમાં જન્મ પામેલી એક નવજાત વાછરડી અને કણસતી પ્રસુતા ગાયના કાદવમાં તરફડીને મોત થયા છે. જેનો વીડીયો સામે આવ્યો છે.
કોર્પોરેશન દ્વારા શહેરમાંથી દૈનિક ધોરણે 13 થી રખડતા પશુઓને પકડવામાં આવે છે. જેમાં પડાયેલા ખુંટીયાઓને રણજીતસાગર ડેમ પાસેના ડબ્બામાં અને ગાયોને હાપા પાસેના ડબ્બામાં મોકલવામાં આવે છે. પશુઓ પોતાની કુદરતી વૃત્તિ મુજબ તે કોરી અને સ્વચ્છ જગ્યામાં જ બેસતા હોય છે. પરંતુ બંને ડબ્બાઓમાં પારાવાર કીચડની સ્થિતિ હોવાથી પશુઓ કાદવ-કીચડમાં ખડા રહીને થાકીને ફસડાઈ પણ પડે છે.










