નૂતન વર્ષના વધામણા કરવા ગુજરાત સહિત પર પ્રાંતમાંથી લાખો શ્રદ્ધાળુઑ અને પર્યટકો જગત જનની જગદંબાના અંબાજી ધામમા ઉમટશે અને મા અંબાના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. શક્તિધામ અંબાજીમાં નુતન વર્ષના પ્રારંભ ના એક દિવસ પહેલાના પડતર દિવસના દિવસથી જ ભાવિક ભક્તોની ભીડ જામી છે અંબાજી ઉપરાંત મા અંબાના મૂળ સ્થાન ગબ્બર અને કોટેશ્વર ખાતે પણ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે


અંબાજી સહિતના આજુબાજુના સ્થળોએ દિપાવલીના શુભ પર્વમાં દર્શનાર્થે કે પ્રવાસ અર્થે આવતા લોકોને કોઈ તકલીફ્ કે અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજી અને ગબ્બર સહિતના યાત્રાધામોમાં આવતા દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા સહિત તેમના વાહનો યોગ્ય રીતે મૂકી શકે તે માટે વધારાના પાર્કિંગ પ્લોટો ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલયમાં નિશુલ્ક ભોજન પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું છે


  • Follow us on: