અમદાવાદ । સીટીએમ પાસે આવેલ રેવાભાઇ એસ્ટેટમાં વિશાનકિટ કેમિકલ્સમાં શનિવારે બપોરે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ત્યારે કામ કરતા મજૂરો બહાર દોડી આવ્યા હતા.જ્યારે અંદર કેમિકલનો સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.તેમજ આગના ધૂમાડા 2 કિલોમિટર દૂર સુધી જોવા મળ્યા હતા. જેથી ફયરબ્રિગ્રેડને જાણ કરતા ફયરની 5 ગાડીઓએ ફેર્મ અને પાણીનો મારો ચલાવીને બે કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. કંપની માલિકને બીપીનોપ્રોબ્લેમ થતા પડી જતા સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો